એપશહેર

ઉનાના દલિત યુવકો પરનો અત્યાચાર BJP MLA રાજા સિંહે યોગ્ય ગણાવ્યો, કહ્યું 'આ રીતે જ પાઠ ભણાવો'

I am Gujarat 31 Jul 2016, 9:51 pm
નવી દિલ્હીઃ તેલંગાણાના ગૌશામહલ (હૈદરાબાદ) બેઠકના ભાજપ ધારાસભ્ય ટી. રાજા સિંહે તેમના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કરી ઉનામાં દલિત યુવકોને બંધક બનાવી કરવામાં આવેલા અત્યાચારને યોગ્ય ગણાવ્યો છે. ભાજપના આ ધારાસભ્યે કહ્યું છે કે, જે પણ દલિત ગૌમાંસ ખાય છે અને ગાયોને મારે છે તેમને આ રીતે મારવા જોઈએ.
I am Gujarat bjp mla raja singh says dalit beaten in una gujarat is good thing
ઉનાના દલિત યુવકો પરનો અત્યાચાર BJP MLA રાજા સિંહે યોગ્ય ગણાવ્યો, કહ્યું 'આ રીતે જ પાઠ ભણાવો'


ધારાસભ્ય રાજા સિંહે બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં સુપ્રીમો માયાવતીનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, ‘તે વોટની ભિખારી છે. તે દલિતોનું નામ ખરાબ કરે છે.’ રાજા સિંહે કહ્યું હતું કે, એવા ઘણા દલિતો છે, જે ગૌરક્ષા કરે છે અને પોતાની સાથે પણ ઘણા દલિતો ગૌરક્ષામાં જોડાયેલા છે.

રાજા સિંહને પૂછવામાં આવ્યું હતું કે, ‘શું ગૌમાંસ ખાવું જરૂરી છે? આના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘ગૌમાંસ ખાનારા દલિતોને કારણે દેશભક્ત દલિતોનું નામ ખરાબ થઈ રહ્યું છે. ત્યાર બાદ રાજાએ ઉનાની ઘટના વિશે કહ્યું હતું કે, ‘જે દલિતો ગાયના માંસને માટે લઈ જઈ રહ્યા હતા, તેમની મારવા બિલકુલ યોગ્ય છે. જેમણે પણ દલિતોને માર્યા છે, હું તેમનું સમર્થન કરું છું, તેમણે તેમને બરાબર પાઠ ભણાવ્યો છે.’ ત્યાર બાદ રાજાએ દલિતો ઉપરાંત દરેક સમાજના વર્ગને ચેતવણી આપી હતી કે, જે પણ ગૌહત્યા કરશે, તેમને સબક શીખવાડવામાં આવશે.’

https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FRajaSinghOfficial%2Fvideos%2F587851641375764%2F&show_text=0&width=560

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો