એપશહેર

યૂનિફોર્મ સિવિલ કોડઃ ટ્રીપલ તલાક બીલથી મળ્યા આવા સંકેત!

Mitesh Purohit | TNN 29 Dec 2017, 10:21 am
I am Gujarat bjp moves on triple talaq bill hints that party strategy change on uniform civil code
યૂનિફોર્મ સિવિલ કોડઃ ટ્રીપલ તલાક બીલથી મળ્યા આવા સંકેત!


ટ્રીપલ તલાક બીલને પાસ કરીને ભાજપે વિરોધીઓને કરી દીધા પસ્ત

નવી દિલ્હીઃ ભાજપે ગુરુવારે લોકસભામાં ટ્રીપલ તલાક બીલ પસાર થવાને ભાજપ એક મોટી રાજકીય જીત તરીકે ઉજવ્યો છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ પગલાને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. જોકે વિજયોત્સવ મનાવતા ભાજપ માટે આ બીલ રાજ્યસભામાં પાસ કરાવવું સહેલું નથી. કેમ કે રાજ્યસભામાં ભાજપ પાસે બહુમત નથી. બીજીબાજુ પ્રાદેશીક પક્ષો ભાજપને આ મુદ્દે મદદ કરે તેવી શક્યતા ઓછી છે.

જોકે રાજ્યસભામાં ભાજપ માટે આ બીલ લાવી શકે છે મુશ્કેલી

જોકે ભાજપ કહે છે કે લોકસભામાં આ બીલ પાસ કરાવીને તેમણે તુષ્ટીકરણની રાજનીતિ વિરુદ્ધ મોટો સંદેશો આપ્યો છે. તો આ સાથે જ પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડ પર પોતાની બદલાયેલી નીતિનો સંકેત પણ આપી દીધો છે. વિરોધીઓએ સરકારના આ બીલનો વિરોધ કર્યો હતો અને તેમણે ક્હ્યું કે ભાજપ આ બીલ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા માગે છે. જોકે ભાજપે આ આરોપોને મિથ્યા ગણવ્યા છે.

યુનિફોર્મ સિવિલ કોડને લઈને ભાજપે બદલી પોતાની રણનીતિ

જ્યારે હકીકતમાં ટ્રીપલ તલાકના વિરોધમાં આક્રમક બનેલા ભાજપે પોતાની રણનીતિ ખૂબ જ સ્પષ્ટ કરી દીધી છે. પહેલા ભાજપ કોઈપણ ભોગે સિવિલ કોડ લઇ આવવા માગતુ હતું જોકે હવે તે આ દિશામાં ખૂબ સાવધાની અને ધીરે ધીરે વધવા માગે છે. આ માટે ભાજપે ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવે તેને ગેરકાનૂની ઠેરવીને સમગ્ર બીલને જન્ડર જસ્ટિસની દિશા આપી છે. ભાજપના આ પગલાથી ડાબેરીઓ અને કોંગ્રેસના સમર્થક કહેવાતા એક્ટિવિસ્ટોને ભાજપ પર પ્રહાર કરવા મુશ્કેલ પડી રહ્યા છે.

વિરોધીઓની મુશ્કેલી કે જેન્ડર ઇક્વાલિટીના BJP મુદ્દોનો વિરોધ કરવો તો કઈ રીતે…

ભાજપ દાવો કરી રહ્યું છે કે તેમના આ બીલથી દેશની પીડિત મુસ્લીમ મહિલાઓને પણ ધર્મ અને જાતીથી ઉપર ઉઠીને ન્યાય મળશે અને આ માટે ભાજપે પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. ત્યારે હવે એવી પણ ચર્ચા છે કે ભાજપ આગામી પગલા તરીકે બહુપત્ની પ્રથા અને હલાલા જેવી પ્રથાને પણ ગેરકાયદેસર જણાવતો કાયદો લાવી શકે છે. જો ભાજપ આ કરે છે તો યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં ચોક્કસ મહત્વનું પગલુ સાબિત થશે. તો બીજીબાજુ ‘સેક્યુલર’ વિરોધીઓની મુશ્કેલી એ રીતે વધી રહી છે કે નવા કાયદોનો વિરોધ કરવો તો કઈ રીતે કરવો જેમાં મુસ્લીમ અને હિંદુઓ વચ્ચે સમાનતાની વાત કરવામાં આવી છે.

કોંગ્રેસ માટે સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ

જ્યારે બીજી તરફ ભાજપે આ બીલના એક અંશને રાજીવ ગાંધી સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાનને સમર્પિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહિલા અધિકારો માટે લડતા આરિફ મોહમ્મદ ખાને શાહ બાનો કેસમાં રાજીવ ગાંધીની નીતિનો વિરોધ કરતા પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે કોંગ્રેસ માટે હવે આ બીલનો વિરોધ કઈ રીતે કરવો મોટો પ્રશ્ન બની ગયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો