એપશહેર

અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાનો દાવો તેમના સાથીએ કર્યો, ગૃહ મંત્રાલયે કહ્યુ- હજુ ટેસ્ટ નથી થયો

એક તરફ અમિત શાહના સાથીએ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાનો દાવો કર્યો છે. તો બીજી તરફ ખુદ ગૃહ મંત્રાલયે શાહનો રિપોર્ટ જ ન થયો હોવાની વાત કરી છે.

I am Gujarat 9 Aug 2020, 2:40 pm
ભાજપના સાંસદ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યાનો દાવો ટ્વીટમાં કર્યા બાદ તેમણે ટ્વીટ ડિલિટ કરી દીધું હતું. બીજી તરફ ગૃહ મંત્રાલયે કહ્યું કે, હજુ સુધી અમિત શાહનો કોરોના ટેસ્ટ થયો જ નથી.
I am Gujarat bjp mp manoj tiwari claims amit shah corona test report negative mha offical said no test so far
અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાનો દાવો તેમના સાથીએ કર્યો, ગૃહ મંત્રાલયે કહ્યુ- હજુ ટેસ્ટ નથી થયો


એક તરફ મનોજ તિવારીએ શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યાની વાત કર્યા બાદ સમાચાર એજન્સી દ્વારા જણાવાયું છે કે, ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે હજુ સુધી અમિત શાહનો કોરોના ટેસ્ટ કરાયો નથી. એટલે કે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટી નથી થઈ કે અમિત શાહ કોરોના મુક્ત થયા છે કે નહીં. 2 ઓગસ્ટના રોજ તેમના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. તેમના રિપોર્ટને આજે માત્ર 7 જ દિવસ થયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ 2 ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો. 55 વર્ષના અમિત શાહે પોતાને કોરોના થયો હોવાની માહિતી ટ્વીટર દ્વારા આપી હતી, તેમણે જણાવ્યું હતું કે તેઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.

દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કેન્દ્રીય ગૃહમંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું છે. મનોજ તિવારીએ લખ્યું હતું કે, "દેશના યશસ્વી ગૃહમંત્રી અમિત શાહનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે." આ સાથે તિવારીએ શાહ અને પોતાનો એક કાર્યક્રમોનો ફાઈલ ફોટો પણ ટ્વીટ સાથે શેર કર્યો હતો. જોકે થોડા સમય બાદ આ ટ્વીટ તિવારીના અકાઉન્ટ પરતી ગાયબ થઈ ગઈ હતી.

મંત્રી મુખ્યમંત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમિત શાહ સહિત દેશના 4 કેન્દ્રીય મંત્રીઓન કોરોના થયો છે, જેઓ કોરોના વાયરસની સારવાર કરાવી રહ્યા છે. જેમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૈલાશ ચતુર્વેદી અને અર્જુન મેઘવાલનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશના મંત્રી કમલ રાનીનું કોરોના વાયરસના કારણે મોત થઈ ગયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો