એપશહેર

કૈલાશ વિજયવર્ગીયનો દાવો, કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશનો વારો

Gaurang Joshi | I am Gujarat 28 Jul 2019, 10:39 pm
જયપુરઃ કર્ણાટકમાં સરકાર બન્યા પછી બીજેપી હવે મધ્યપ્રદેશમાં ‘ઓપરેશન લોટસ’ની તરફ આગળ વધી રહી છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે દાવો કર્યો હતો કે કર્ણાટકમાં કેબિનેટની રચના પછી ‘નવું મિશન’ લોન્ચ કરવામાં આવશે. મધ્યપ્રદેશની રાજનૈતિક હાલત વિશે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં તેમણે આ વાત કહી હતી. નોંધનીય છે કે મંગળવારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો કોંગ્રેસમાં જૂથબંધીની સ્થિતિઃ વિજયવર્ગીય મધ્યપ્રદેશ અંગે પૂછાયેલા સવાલ પર વિજયવર્ગીયે કહ્યું કે,’કર્ણાટકમાં કેબિનેટની રચના પછી નવા મિશનની શરુઆત કરવામાં આવશે. અમારી એવી ઈચ્છા નથી કે મધ્યપ્રદેશની સરકાર પડી ભાંગે પરંતુ કોંગ્રેસના સાંસદોને જ અનિશ્ચિતતા છે.’ મધ્યપ્રદેશના દિગ્ગજ નેતાએ કહ્યું કે કોંગ્રેસ સાંસદોને પોતાની સરકાર પર જ ભરોસો નથી અને જૂથબંધીની સ્થિતિ છે. પોતાના કર્મથી ભાંગી પડી સરકારઃ કૈલાશ વિજયવર્ગીય વિજયવર્ગીયે કહ્યું હતું કે,’કર્ણાટકની સરકાર પોતાના કર્મથી જ પડી ભાંગી છે. કોંગ્રેસ સાંસદોને પોતાની સરકાર પર જ વિશ્વાસ નથી અને તેઓ માની રહ્યાં છે કે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ સારુ છે.’ કર્ણાટકમાં સરકાર પડી ભાંગવા અંગે તેમણે કહ્યું કે આવું પોતાના કર્મને લીધે જ થયું છે. કૈલાશ વિજયવર્ગીય જયપુરમાં બીજેપી કાર્યાલયમાં આવ્યા હતાં અને તેમણે પાર્ટીના નેતાઓની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પાર્ટી ઓફિસમાં જ પીએમ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ પણ સાંભળ્યો હતો. બીજેપીના બે સાંસદોએ કર્યું હતું કોંગ્રેસને સમર્થન ભલે વિજયવર્ગીય મધ્યપ્રદેશમાં નવું મિશન શરુ કરવાની વાત કરી રહ્યાં હોય પરંતુ તાજેતરમાં જ એક બિલને લઈને પાર્ટીના બે સાંસદોએ કોંગ્રેસનું સમર્થન કર્યું હતું. બીજેપીના બે સાંસદોએ મધ્યપ્રદેશ ‘દંડ વિધિ સંશોધન વિધેયક’ પર કમલનાથ સરકારના પક્ષમાં મતદાન કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો