એપશહેર

કોના બાપની દિવાળી? કંગના સામે લડવા BMCએ 82 લાખનો ધૂમાડો કર્યો

કંગના રનૌતની ઓફિસનું વધારાનું બાંધકામ તોડી પાડવાના કેસમાં બૃહદમુંબઈ મહાનગર પાલિકાએ સીનિયર વકીલની ફી પેટે 82 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાનું એક આરટીઆઈમાં સામે આવ્યું છે.

Written byVijya Singh | TNN 29 Oct 2020, 4:32 pm
મુંબઈ: સુશાંતના મોત બાદ બોલિવુડમાં નેપોટિઝમ અને ડ્રગ મામલે કંગના રનૌત સતત આરોપો લગાવી રહી છે. દરમિયાન કંગના અને મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેના વચ્ચે આ મામલે શાબ્દીક યુદ્ધ પણ થયું. આ દરમિયાનમાં માયાનગરી મુંબઈની સરખામણી પાક કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) સાથે કરનારી બોલિવુડની અભિનેત્રી કંગના રનૌત સામે બીએમસીએ અત્યાર સુધી કોર્ટ કાર્યવાહી પાછળ લગભગ 82,50,000 રૂપિયા ખર્ચ કર્યા છે. આ જાણકારી એક આરટીઆઈના જવાબમાં સામે આવી છે.
I am Gujarat Kangana Ranaut


બીએમસીના એચ વેસ્ટ વોર્ડના અધિકારીઓએ બાંદ્રા સ્થિત પાલી હિલમાં કંગના રનૌતની ઓફિસમાં થયેલા દબાણ પર કાર્યવાહી થઈ હતી. આ મામલે એક્ટ્રેસે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

આ મામલે બીએમસીએ બોમ્બે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા ખર્ચ કરી દીધા છે. કંગના રનૌતએ બાંદ્રાના પાલી હિલ સ્થિત પોતાના ઘરમાં મણિકર્ણિકા ફિલ્મથી ઓફિસની શરૂઆત કરી હતી. આરોપ છે કે, આ ઓફિસમાં કંગનાએ ગેરકાયદેસર નિર્માણ કામ કરાવ્યું હતું.

આ દરમિયાન કંગના રનૌતે મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે કરી હતી, જેનો મુંબઈમાં ભારે વિરોધ થયો હતો. મુંબઈ મહાનગર પાલિકાએ બીએમસી એક્ટની કલમ 354 અંતર્ગત કંપનાને નોટિસ આપી હતી. કંગના તરફથી સંતોષજનક જવાબ ન મળવા પર બીએમસીએ ગત 9મી નવેમ્બરે તેની ઓફિસમાં કરેલા વધારાના બાંધકામને તોડી નાખ્યું હતું.

બીએમસીની કાર્યવાહી પર કંગનાના વકીલે આ મામલે બોમ્બે હાઈકોર્ટ પાસે મદદ માગી હતી. 5 ઓક્ટોબરે કોર્ટના આદેશ બાદ બીએમસીએ પોતાની કાર્યવાહીને રોકી દીધી હતી. આરટીઆઈ કાર્યકર્તા શરદ યાદવે બીએમસીમાં અરજી કરી એ જાણકારી માગી હતી કે આ મામલે બીએમસીએ કયા વકીલને નિયુક્ત કર્યા છે અને આ સમગ્ર પ્રક્રિયામાં અત્યાર સુધી કેટલો ખર્ચ થયો છે. આરટીઆઈનો જવાબ આપતા બીએમસીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 82,50,000 રૂપિયા ફી તરીકે આપ્યા છે.

આરટીઆઈ કાર્યકર્તાએ કહ્યું કે, 'માત્ર પોતાનો રાજકીય અહમ સંતોષવા માટે સત્તા પક્ષે બીએમસી પાલિકાની પેનલમાં રહેલા સીનિયર વકીલને બદલે સીનિયર કાઉન્સેલને રોકીને લોકોના રૂપિયા ખર્ચી રહી છે. આ મામલે કોઈ સ્પષ્ટ પોલિસી જ નથી.'

યાદવની આ માહિતી માગતી પહેલી અરજી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. બાદમાં તેમણે અપીલ કરી અને તે પછી મંગળવારે બીએમસીએ તેમને માહિતી આપી હતી.

Read Next Story