એપશહેર

આંધ્રપ્રદેશઃ હોડી પલટતાં 20થી વધારે શ્રદ્ધાળુઓના મોતની આશંકા

Gaurang Joshi | I am Gujarat 12 Nov 2017, 9:54 pm
I am Gujarat boat capsizes in krishna river vijayawada
આંધ્રપ્રદેશઃ હોડી પલટતાં 20થી વધારે શ્રદ્ધાળુઓના મોતની આશંકા


વિજયવાડામાં બની દુર્ઘટના

આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે એક નાવ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 26 લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. કૃષ્ણા નદીમાં ડૂબી ગયેલી નાવમાં આશરે 38 લોકો સવાર હતાં. પ્રારંભિક સૂચના અનુસાર અત્યાર સુધીમાં 14 મૃતકોનાં શબ બહાર કઢાયાં છે. બાકીના લોકોની શોધ હજુ ચાલું છે.

અનિયંત્રિત થતાં ઘટી દુર્ઘટના

એક જાણકારી અનુસાર આ દુર્ઘટના કૃષ્ણા નદીના પવિત્ર સંગમ ઘાટ પર ત્યારે થઇ જ્યારે એક ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવા માટે લોકો હોડીમાં ભવાની ટાપુથી ભવાની સંગમ ઘાટ જઇ રહ્યાં હતાં. એવું જણાવવામાં આવે છે કે નાવમાં વધારે લોકો સવાર હતાં. નદીમાં અધવચ્ચે નાવ અનિયંત્રિત થતાં પલટી મારી ગઇ હતી. નાવ પલટ્યાં પછી ઘાટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનીક માછીમાર તરત જ બચાવકાર્યમાં જોડાયાં હતાં.

પહોંચી એનડીઆરએફની ટીમ

ઘટનાની સૂચના મળતાં જ પ્રશાસને બચાવકાર્ય ઝડપી બનાવ્યું હતું. એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડૂબેલા લોકોની શોધખોળ કરવામાં જોડાઇ હતી. મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડૂએ આ ઘટના પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો