એપશહેર

ભીડભાડ વાળી ટ્રેનમાં ધક્કો વાગતા પડી ગયા હતા, કોર્ટે 80 વર્ષીય મુસાફરને 1.5 લાખ વળતર આપવાનો રેલવેને આપ્યો આદેશ

વર્ષ 2011માં દહિસર વિસ્તારમાં રહેતા એક મુસાફર દાદર રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેનમાં બેસવા જતા હતા ત્યારે અન્ય મુસાફરોનો ધક્કો વાગવાને કારણે પ્લેટફોર્મ પર પડી ગયા હતા. પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પગ ફસાઈ જવાને કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી અને 14 દિવસ હોસ્પિટલમાં રહેવુ પડ્યુ હતું. બોમ્બે હાઈકોર્ટે આ મુસાફરને વળતર આપવાનો પશ્ચિમ રેલવેને આદેશ આપ્યો છે.

Edited byZakiya Vaniya | TNN 28 Apr 2022, 12:38 pm
મુંબઈ- બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક કેસના ચુકાદામાં મહત્વની ટિપ્પણી કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું કે, જો રોજબરોજની ભાગદોડમાં કોઈ મુસાફર ભીડવાળી ટ્રેનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે અને અન્ય મુસાફરોનો ધક્કો વાગવાને કારણે તે પડી જાય અથવા પ્રવેશ ના મેળવી શકે તો તેને ચોક્કસપણે અપ્રિય ઘટના કહી શકાય. આ ટિપ્પણી કરીને હાઈકોર્ટે વર્ષ 2011ના એક કેસમાં પશ્ચિમ રેલવેને આદેશ આપ્યો કે 80 વર્ષીય વૃદ્ધને દોઢ લાખ રુપિયા વળતર આપવામાં આવે.
I am Gujarat dadar
ફાઈલ ફોટો


બોમ્બે હાઈકોર્ટની જસ્ટિસ ભારતી ડાંગરેની પીઠે પશ્ચિમ રેલવેને આદેશ આપ્યો કે, પીડિતને માથા અને પગમાં ઈજા થઈ હતી, માટે તેની સારવારનો ખર્ચ રેલવેએ ચૂકવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા આ ક્લેઈમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને દલીલ કરવામાં આવી હતી કે આ એક બેદરકારી છે અને ગુનાહિત કૃત્ય છે. રેલવેની આ દલીલ ટ્રિબ્યુનલ દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ભારતીએ જણાવ્યું કે, ટ્રિબ્યૂનલે ગુનાહિત કૃત્ય જણાવીને એક ભૂલ કરી છે. મુંબઈની લાઈફલાઈનની મદદથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના કામ પર જતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો ઘણીવાર સમયસર કામ પર પહોંચવા માટે ભીડભાડ વાળી ટ્રેનમાં પણ જીવના જોખમે ચઢવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જોખમને તમે ગુનાહિત કૃત્ય ના કહી શકો.

RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો! લોકડાઉનમાં 85 હજારથી વધુ HIV પોઝિટિવ કેસો નોંધાયા
ઉલ્લેખનીય છે કે દહિસર વિસ્તારમાં રહેતા અને વિખરોલીની એક કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા નિતિન હુંડીવાલાએ વર્ષ 2017માં ટ્રિબ્યૂનલના 2013ના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. જ્યારે તેમણે આ અપીલ કરી ત્યારે તેમની ઉંમર 75 વર્ષ હતી. 12મી એપ્રિલના રોજ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, તેઓ દરરોજ કામ પર ટ્રેનમાં બેસીને જતા હતા. અને તેમના પોકેટમાં ટિકિટ ના મળી માત્ર તે કારણોસર તેમને અવિશ્વાસુ મુસાફર જાહેર ના કરી શકાય.

23, નવેમ્બર 2011ના રોજ બનેલી ઘટનામાં તેમને ઈજા થઈ હતી જેની સારવાર માટે પશ્ચિમ રેલવે પાસેથી ચાર લાખ રુપિયાના વળતરની માંગ કરી હતી. ઈન્ડિયન રેલવે એક્ટ, 1989માં આ પ્રકારની ઘટનાને કારણે થનારી ઈજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક્ટ અનુસાર, કોઈ પેસેન્જર ટ્રેનમાંથી આકસ્મિક રીતે પડી જાય તો તેની ગણતરી અપ્રિય ઘટનામાં કરવામાં આવે. માટે તેમને વળતર મળવું જોઈએ.

બિલ્ડરે ફ્લેટનું પઝેશન આપવામાં મોડુ કર્યું, કોર્ટે 63 લાખ વ્યાજ અને 1.17 કરોડ રિફંડ આપવાનો આદેશ આપ્યો
ફરિયાદીનો દાવો હતો કે, તેઓ દાદર સ્ટેશન પર 17.26 ફાસ્ટ વિરાર લોકલ ટ્રેનના સેકન્ડ ક્લાસ જનરલ ડબ્બામાં ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ટ્રેનમાં અત્યંત ભીડ હતી અને ડબ્બામાં હાજર મુસાફરો દ્વારા તેમને ધક્કો મારવામાં આવ્યો હતો. તેઓ દરવાજા પાસે જ ઉભા હોવાને કારણે સંતુલન ગુમાવી દીધું અને તેમનો જમણો પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. તેમને જમણા થાપા અને માથા પર ગંભીર ઈજા થઈ હતી. તેમને 14 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.

Read Next Story