એપશહેર

અર્ણબ ગોસ્વામી હજી જેલમાં જ રહેશે, હાઈકોર્ટે જામીનનો ચુકાદો અનામત રાખ્યો

આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેના કેસમાં રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામી જેલમાં બંધ છે

I am Gujarat 7 Nov 2020, 8:48 pm
આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેના કેસમાં રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામી જેલમાં બંધ છે. બોમ્બે હાઈકોર્ટે શનિવારે તેમને તાત્કાલિક રાહત આપવાના બદલે વચગાળાની જામીન પર પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ એસએસ શિંદે અને એમએસ કાર્ણિકની બેન્ચે કહ્યું હતું કે કોઈ પણ તારીખ આપવાના બદલે તેઓ ઝડપથી પોતાનો આદેશ જાહેર કરશે.
I am Gujarat arnab2


અર્ણબે છૂટ આપી છે કે તેઓ ઈચ્છે તો લોઅર કોર્ટમાં અરજી કરી શકે છે. હાઈકોર્ટે લોઅર કોર્ટને આદેશ આપ્યો છે કે અર્ણબ પિટીશન કરે તો ચાર દિવસમાં ચૂકાદો આપવામાં આવે. શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં આ કેસની છ કલાક સુધી સુનાવણી ચાલી હતી. મુંબઈના ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય અને તેમના માતાને કથિત આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે.

પત્રકાર ગોસ્વામીને 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ગોસ્વામી હાલમાં અલીબાગની એક સ્કૂલમાં બંધ છે જેને અલીબાગ જેલના કોવિડ -19 કેન્દ્રમાં ફેરવવામાં આવી છે. આ પહેલા અર્ણબને બુધવારે સવારે રાયગઢ પોલીસની એક ટીમે મુંબઇ સ્થિત તેમના ઘરેથી અટકાયતમાં લીધો હતો. પોલીસ વાનમાં બેસ્યા બાદ અર્ણબે દાવો કર્યો હતો કે પોલીસે તેની સાથે મારામારી પણ કરી હતી. જોકે પોલીસે જાહેર કરેલા વીડિયોમાં અર્ણબ પોલીસના કામમાં અવરોધ ઉભો કરતો જોવા મળી રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો