એપશહેર

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલના ભાઈનું મૃત્યુ, ગોળી વાગેલી હાલતમાં મળ્યો મૃતદેહ

અંકુર અગ્રવાલનો મૃતદેહ સહારનપુરમાં આવેલી તેમની ફેક્ટરીની નજીકથી મળી આવ્યો, પોલીસને આપઘાતની આશંકા

TNN & Agencies 19 Jan 2021, 3:55 pm
સહારનપુર: ઉત્તર પ્રદેશના સહારનપુર (Saharanpur) જિલ્લમાંથી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ Lav Agarwalના નાના ભાઈ Ankur Agarwalનો રહસ્યમયી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આખી ઘટના સહારનપુરવા પિલખની વિસ્તારની છે, જ્યાં અંકુર અગ્રવાલની ફેક્ટરી આવેલી છે. અંકુર અગ્રવાલનો મૃતદેહ તેમની ફેક્ટરીની નજીક એક ખેતરમાંથી મળી આવ્યો છે.
I am Gujarat 21
લવ અગ્રવાલના ભાઈ અંકુર અગ્રવાલની ફાઈલ તસવીર


સહારનપુરમાં પોતાની ફેક્ટરી નજીકથી મળી આવ્યો મૃતદેહ
સૂત્રોના જણાવ્યા અનુસાર, 42 વર્ષીય અંકુર અગ્રવાલ સવારે ફેક્ટરી માટે નીકળ્યા હતા અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા તેમને ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. સહારનપુર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, 'અંકુર અગ્રવાલના શરીર પર એક એન્ટ્રી અને એક્ઝિટ બૂલેટનો ઘા હતો. તેમજ ઘટનાસ્થળ પરથી તેમની 6 રાઉન્ડ સાથેની લાઈસન્સવાળી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા.'

પોલીસને આપઘાત કર્યો હોવાની આશંકા
સહારનપુરના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અગ્રવાલની લાશ જિલ્લાના સરસાવા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા પિલખની ઔદ્યોગિક વિસ્તારમાં તેમની ફેક્ટરી પાસેથી મળી હતી. પોલીસે જણાવ્યું કે, અગ્રવાલે પોતાને ગોળી મારી છે. સૂત્રોએ જણાવ્યું કે, આર્થિક દેવામાં ડૂબી જવાને કારણે પોતાનું જીવન સમાપ્ત કરવા માટે અગ્રવાલે આ પગલું ભર્યું હોય તેવું બની શકે છે.

પરિવારે કોઈ સત્તાવાર ફરિયાદ કરી નથી: પોલીસ
સહારનપુર સુપરિટેન્ડેન્ટ પોલીસ રૂરલ અતુલ શર્માએ જણાવ્યું કે, આ આપઘાતનો મામલો હોઈ શકે છે. પરંતુ ઈન્વેસ્ટિગેશન પછી જ વધુ જાણ થઈ શકશે. પોલીસે જણાવ્યું કે, અંકુર અગ્રવાલના પરિવારે કોઈ સત્તાવાર ફરિયાદ કરી નથી અથવા કોઈ દબાણ કર્યું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો