એપશહેર

મોદી સરકારની નવી શિક્ષણ નીતિથી શિક્ષણ પદ્ધતિમાં થશે ધરખમ ફેરફારો, જાણો ખાસ વાતો

યુનિયન કેબિનેટે બુધવારે નવી નેશનલ એજ્યુકેશન પોલિસીને મંજૂરી આપી દીધી છે જેનાથી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં સ્કૂલથી લઈને કોલેજ સુધી થશે ઘણા ફેરફાર

I am Gujarat 29 Jul 2020, 9:52 pm
યુનિયન કેબિનેટે બુધવારે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી)ને મંજૂરી આપી દીધી છે જેમાં ભારતીય શિક્ષણ પદ્ધતિમાં સ્કૂલથી લઈને કોલેજ સુધી ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે એક જ રેગ્યુલેટર, એકથી વધુ એન્ટ્રી અને ડિગ્રી કોર્સમાં એક્ઝિટ ઓપ્શન, એમફિલ પ્રોગ્રામ બંધ કરવામાં આવશે તથા યુનિવર્સિટીઓ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ જેવા મુદ્દાઓ આ નીતિમાં સામેલ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 1986મા શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી અને 1992મા તેમાં ફેરફાર કરાય હતા જોકે ત્યારબાદ તેમાં કોઈ ફરેફાર કરાયા નથી. તેથી નવી શિક્ષણ નીતિ આ ફેરફાર જેટલી જ મહત્વની છે. નોંધનીય છે કે કેબિનેટે એચઆરડી મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કર્યું છે.
I am Gujarat cabinet approves new national education policy key points
મોદી સરકારની નવી શિક્ષણ નીતિથી શિક્ષણ પદ્ધતિમાં થશે ધરખમ ફેરફારો, જાણો ખાસ વાતો


તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા માટે એક રેગ્યુલેટર

- નવી નીતિ અંતર્ગત એમફીલ કોર્સ બંધ થશે અને અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી લેવલના કોર્સ હવે ઈન્ટરડિસિપ્લિનરી રહેશે.

- મેડિકલ કોલેજો સિવાય સરકાર દ્વારા સંચાલિત તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે એક જ રેગ્યુલેટર હશે.

- પાંચમાં ધોરણ સુધી હોમ લેંગ્વેજ, માતૃભાષા અને પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવામાં આવશે.

- સ્કૂલના અભ્યાસ ક્રમમાં ઘટાડો કરાયો છે અને મુખ્ય મુદ્દાઓ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત છઠ્ઠા ધોરણથી વોકેશન એજ્યુકેશનનો સમાવેશ કરાશે.

યુનિવર્સિટીઓ-ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ

- રિપોર્ટ કાર્ડ ફક્ત માર્ક્સ અને સ્ટેટમેન્ટ્સના આધારે નહીં પરંતુ સ્કિલ અને ક્ષમતાના આધારે બનાવવામાં આવશે.

- શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કેપ ફી ચાર્જ કરવામાં આવશે.

- યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે.

- વિષયોની ફ્લેક્સિબિલિટી અંગે મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન આપવામાં આવશે.

પ્રાંતિય ભાષાઓમાં ઈ-કોર્સિસ ડેવલોપ કરાશે

- પ્રાંતિય ભાષાઓમાં ઈ-કોર્સિસ ડેવલોપ કરાશે, વર્ચ્યુઅલ લેબ બનાવવામાં આવશે અને નેશનલ એજ્યુકેશનલ ટેક્નોલોજી ફોરમ (એનઈટીએફ) બનાવવામાં આવશે.

- વિદ્યાર્થીઓના એસેસમેન્ટ માટે નેશનલ એસેસમેન્ટ સેન્ટર 'PARAKH' તૈયાર કરવામાં આવશે.

- એનઈપી 2020નો હેતુ ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવાનો રહેશે. જેમાં વોકેશનલ એજ્યુકેશન પણ સામેલ છે. 2018મા આ રેશિયો 26.3 ટકા હતો જે 2035 સુધીમાં 50 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 3.5 કરોડ નવી બેઠકો વધારવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો