જયપુરઃ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના પિતા મોતીલાલ નેહરુ પર અયોગ્ય ટિપ્પણી કરવા બદલ અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસે આઈટી એક્ટની કલમ 66 અને 67 અંતર્ગત પાયલ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો નોંધનીય છે કે પાયલ રોહતગી અને વિવાદ વચ્ચે જૂનો સંબંધ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને પોતાના નિવેદનોને લઈને ટીકાઓનો ભોગ પણ બનતી રહે છે. શુક્રવારે યૂથ કોંગ્રેસના નેતા ચરમેશ શર્માની ફરિયાદ પર રાજસ્થાન પોલીસે પાયલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. શું કહ્યું હતું પાયલ રોહતગીએ? અભિનેત્રી પાયલ રોહતગીએ ભારતની આઝાદી માટે લડેલા અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના પિતાને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. પાયલે એક વીડિયો જારી કરીને કહ્યું હતું કે મને લાગે છે કે કોંગ્રેસ પરિવાર ટ્રિપલ તલાક વિરુદ્ધ એટલા માટે છે કેમ કે મોતીલાલ નેહરૂની પાંચ પત્નીઓ હતી. આ ઉપરાંત મોતીલાલ નેહરૂ જવાહરલાલ નેહરૂના સાવકા પિતા હતા. પાયલે પોતાના દાવા પાછળ એલિના રામકૃષ્ણા દ્વારા લખવામાં આવેલી એક બાયોગ્રાફીનો હલાવો આપ્યો છે. પાયલે આ વીડિયોમાં આગળ પણ ઘણી અયોગ્ય ટીપ્પણી કરી છે. શુક્રવારે યુથ કોંગ્રેસના નેતાની ફરિયાદના આધારે રાજસ્થાન પોલીસે આઈટી એક્ટની કલમ 66 અને 67 અંતર્ગત તેની સામે કેસ દાખલ કર્યો છે.