એપશહેર

CBSE અને ICSE બન્ને બોર્ડે જુલાઈના મધ્યમાં પરિણામ જાહેર કરવાની બાંહેધરી આપી

Tejas Jinger | TNN 26 Jun 2020, 12:11 pm
CBSEની ધોરણ-10 અને ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણય બાદ વેકલ્પિક માર્ક્સના ફોર્મ્યુલાના આધારે પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 3 પેપરના માર્ક્સના આધારે સરેરાશ પરિણામ કાઢવામાં આવશે. હવે બોર્ડના નક્કી કરેલા નિયમના આધારે જૂલાઈના મધ્યમાં પરિણામ જાહેર કરવામાં આવશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયા બાદ હવે પરિણામ ક્યારેય જાહેર કરવામાં આવશે તે અંગે અનેક સવાલો થઈ રહ્યા હતા, જે અંગે આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં CBSE અને ICSEએ પોતાના જવાબ રજૂ કર્યા છે. આ બન્ને બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.10-12ની પરીક્ષા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં ICSE દ્વારા કહેવાયું છે કે, 10મા ધોરણના બાળકોની ફરી પરીક્ષા યોજવામાં આવે તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. CBSE મામલે અરજકર્તાના વકીલને કોર્ટે સવાલ કર્યો છે કે, વિદ્યાર્થીઓને ફરી પરી આપવાની તક ક્યારે આપવામાં આવશે, તેને સ્પષ્ટ કરવામાં આવે. આ મુદ્દા પર હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ.
આ રીતે અગાઉના પેપરના આધારે માર્ક્સ અપાશેICSEના વકીલે જણાવ્યું કે, અમે પણ પરીક્ષા રદ કરી રહ્યા છીએ. અમારી માર્કિંગની રીત CBSE કરતા થોડી અલગ છે. માર્કિંગ અને પછીની પરીક્ષાને લઈને બન્ને બોર્ડ પોત-પોતાના નોટિફિકેશન જારી કરશે. સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ પણ હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી નહીં થાય.

Read Next Story