એપશહેર

દિવાળીમાં પણ સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત, LOC પર ગોળીબાર અંગે ભારતનું કડક વલણ

સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત દિવાળીમાં પણ ચાલુ રહી હતી. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

I am Gujarat 15 Nov 2020, 7:23 am
નવી દિલ્હીઃ ભારતે નિયંત્રણ રેખા (LOC) પર પાકિસ્તાની સૈનિકો તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવા અંગે કડક વલણ અપનાવતા પાકિસ્તાની હાઈ કમિશનના એક વરિષ્ઠ અધિકારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતે પાકિસ્તાનની આ નાપાક હરકત વિરુદ્ધ પોતાનું કડક વલણ દાખવ્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો.
I am Gujarat ceasefire violations along loc in jammu kashmir india summons charge daffaires of pak mission
દિવાળીમાં પણ સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત, LOC પર ગોળીબાર અંગે ભારતનું કડક વલણ


પાકિસ્તાનની કાયરતાપૂર્વક હરકતની ભારતે કરી નિંદા
વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે ભારતે પાકિસ્તાની સુરક્ષાદળો દ્વારા નિર્દોષ નાગરિકોને 'જાણીજોઈને નિશાનો બનાવવા'ની આકરા શબ્દોમાં નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાન તરફથી તહેવારો સમયે LOC પર ગોળીબાર કરીને શાંતિભંગ કરવો અને હિંસા ભડકાવવી એ નિંદનીય છે. નિવેદનમાં એ પણ ઉલ્લેખ હતો કે,'પાકિસ્તાન હાઈ કમિશનના 'ચાર્જ ડી અફેયર્સ'ને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું છે. તેમની સમક્ષ પાકિસ્તાનથી સીઝફાયરનું કારણ વગર ઉલ્લંઘન કરવા અંગે આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.'

ગોળીબારમાં 5 સુરક્ષાકર્મીઓ સહિત 11ના મોત
વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું કે ભારતે સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી કરવામાં પાકિસ્તાનનો જે સહયોગ મળી રહ્યો છે તેને લઈને પણ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરથી લઈ ગુરેજ સેક્ટર વચ્ચે અનેક સ્થાનો પર LOC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. જેમાં 5 સુરક્ષાકર્મીઓ સહિત 11 લોકોના મોત નીપજ્યા હતાં.

જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટું નુકસાન
પાકિસ્તાનની આ કાયરતાપૂર્વક હરકતનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેથી પાકિસ્તાનને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. ભારતીય સૈનિકોની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 11 સૈનિકો માર્યા ગયા હતાં. તેમજ 12 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઉપરાંત તેના પાયાના માળખાને પણ ઘણું જ નુકસાન પહોંચ્યુ હતું.

Read Next Story