એપશહેર

સાવધાન! ચીનથી આવી રહ્યા છે ખતરનાક સીડ પાર્સલ, કેન્દ્રએ બધા રાજ્ય, ઈન્ડસ્ટ્રીને કર્યાં એલર્ટ

હજુ કોરોના સામે દેશ ઝઝૂમી રહ્યો છે ત્યાં પર્યાવરણ, ખેતી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે નવી આફત મોકલી રહ્યું છે ચીન!

I am Gujarat 8 Aug 2020, 11:39 pm
નવી દિલ્હી : કેન્દ્રએ રાજ્યો, ઈન્ડસ્ટ્રી અને રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ્સને સંદિગ્ધ પાર્સલ્સ અંગે સતર્ક રહેવા માટે કહ્યું છે. આમાં એ પ્રકારના બીજ હોઈ શકે છે જે દેશની જૈવ વિવિધતા (બાયો ડાયવર્સિટી) માટે ખતરો બની શકે છે. કૃષિ મંત્રાલયે આ વિશે રજૂ કરેલા નિર્દેશમાં કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારના સંદિગ્ધ બીજના હજારો પાર્સલ્સ મોકલવામાં આવ્યા છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, જાપાન અને કેટલાક યૂરોપિયન દેશોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આ પાર્સલ અજ્ઞાત સ્ત્રોતો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે અને તેમાં ભ્રમિત કરનારા લેબલ લગાવવામાં આવી રહ્યા છે.
I am Gujarat centre alerts states industry to be vigilant about mystery seed parcels
સાવધાન! ચીનથી આવી રહ્યા છે ખતરનાક સીડ પાર્સલ, કેન્દ્રએ બધા રાજ્ય, ઈન્ડસ્ટ્રીને કર્યાં એલર્ટ


મંત્રાલયે કહ્યું કે, અમેરિકાના કૃષિ વિભાગે આને Brushing Scam અને એગ્રિકલ્ચરલ સ્મગલિંગ ગણાવી છે. તેનું પણ કહેવું છે કે, સંદિગ્ધ સીડ પાર્સલ્સમાં એવા બી અથવા પેથોજન હોઈ શકે છે જે પર્યાવરણ, ખેતી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. આ પ્રકારના સીડ પાર્સલ દેશની જૈવ વિવિધતા માટે ખતરો બની શકે છે. એટલે તમામ રાજ્યોના કૃષિ વિભાગો, રાજ્યની યૂનિવર્સિટીઝ, સીડ એસોસિએશન્સ, સ્ટેટ સીડ સર્ટિફિકેશન એજન્સીઓ, સીડ કૉર્પોરેશન્સ અને ઈન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂય અને તેના સંસ્થાનોને આવા સંદિગ્ધ પાર્સલોથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

વધારે સાવધાની વર્તવાની જરૂર

કૃષિ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, 'અમે પહેલેથી જ ચીનથી પેદા થયેલી કોવિડ-19 મહામારીથી ઝઝૂમી રહ્યા છે. જો હવે બીજ દ્વારા કોઈ મહામારી આવે તો પછી તેને સાચવવી મુશ્કેલ થઈ જશે. આપણે વધારે સુરક્ષા વર્તવાની જરૂર છે.'

કૃષિ મંત્રાલયના નિર્દેશ પર ટિપ્પણી કરતા ફેડરેશન ઑફ સીડ ઈન્ડસ્ટ્રી ઈન ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ રામ કૌદિન્યએ કહ્યું કે, અત્યારે આ માત્ર એલર્ટ છે કે, બીજ દ્વારા પ્લાન્ટ ડિસિઝીસને ફેલાવી શકાય છે. આને સીડ ટેરોરિઝ્મ કહેવું યોગ્ય નથી કારણે બીજ દ્વારા બીમારી ફેલાવાની મર્યાદાઓ છે પણ છતાં ખતરો તો છે. તેમણે કહ્યું કે, આવા પાર્સલ્સ દ્વારા આવનારા બીજ નિંદણ હોઈ શકે જે ભારતના મૂળ છોડ-ઝાડ માટે ખતરનાક હોઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો