Centre Goverment Says Not Ready To Extend The Window For Depositing Old Notes To Sc
જૂની નોટો જમા કરાવવાની કોઈ તક નહીં મળેઃ કેન્દ્ર
I am Gujarat17 Jul 2017, 10:23 pm
સુપ્રીમ કોર્ટના સવાલ સામે સરકારે આપ્યો જવાબ
નવી દિલ્હીઃ જૂની 500 અને 1000 રૂપિયાની નોટો જમા કરાવવા માટે હવે ફરી એક વખત તક મળશે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ તરફથી નાગરિકોને જૂની નોટ જમા કરાવવા માટે એક તક માટે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે સોમવારે આ વાત કહી છે.
વધુ એક તકની કરી હતી માંગણી
કેન્દ્ર સરકારે નોટબંધી બાદ 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા કરવા માટે સમય આપ્યો હતો. કેટલાય નાગરિકોએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી જૂની નોટો જમા કરાવવા માટે વધુ એક તકની માંગણી કરી હતી. આ અરજીઓ કરનારામાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. એ મહિલાનું કહેવું છે કે તે ગર્ભવતી હતી અને બાળકને જન્મ આપવાની હતી. એટલા માટે જૂની નોટો જમા કરાવી શકી નહોતી. જ્યારે અન્ય એક મહિલાએ કહ્યું કે તે ગંભીર બિમારી હોવાથી મોત સામે લડી રહી હતી. જેના કારણે તે જૂની નોટો જમા કરાવી શકી નહીં.
તકનો દૂર ઉપયોગ વધશે
5 જુલાઈના રોજ આ મામલે છેલ્લી સુનવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જેએસ ખેહરે કહ્યું કે, ‘જો કોઈ વાસ્તવિક કારણોથી જૂની કરન્સી જમા ન કરાવી શક્યા હોય તો તેમને તક મળવી જોઈએ. તમે તેમના પૈસા છીનવી નહીં શકો, તે તેની કમાણી છે.’ પરંતુ કેન્દ્ર સરકારે સોમાવેર સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે પહેલા પણ જૂની નોટો જમા કરાવવા માટેની તકનો ઉપયોગ કરતા રેલ ટિકિટ અને પેટ્રોલ પંપ પર જૂની નોટો બદલવાના પ્રયાસો સામે આવેલા છે. હવે ફરી તક આપવામાં આવશે તો તેનો દૂર ઉપયોગ વધી શકે છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.