એપશહેર

ગામડાઓમાં કોરોના વકર્યોઃ ગ્રામ્ય વિસ્તારો માટે સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ

હવે ગામડાઓમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તે જોતા સરકારે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારો માટે નવી ગાઈડલાઈન્સ જારી કરી છે

I am Gujarat 16 May 2021, 7:01 pm
નવી દિલ્હીઃ શહેરો બાદ હવે કોરોના વાયરસ ગામડાઓમાં કહેર વર્તાવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હવે અર્ધ-શહેરી, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો માટે અલગથી નવી ગાઈડલાઈન્સ જારી કરી છે. નવી ગાઈડલાઈન્સમાં ગ્રામ્ય વિસ્તારોમાં ILI (ઈન્ફ્લુએન્ઝા લાઈક ઈલનેસ) અને SARI (સીવીયર રેસ્પિરેટરી ઈન્ફેક્શન)ના દર્દીઓ પર ધ્યાન રાખવા પર ભાર આપવામાં આવ્યો છે.
I am Gujarat india corona3


ગાઈડલાઈન્સ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્યુનિટી હેલ્થ અધિકારી કે એએનએમ, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (પુરૂષ) નોડલ પર્સન હશે અને આશા વર્કર્સ તેમને સહયોગ આપશે. નવી એસઓપીમાં નોડલ પર્સન્સને રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ સહિત ઘણા પ્રકારની ટ્રેનિંગ આપવાની વાત કરવામાં આવી છે.
'મારી પણ ધરપકડ કરો'- રાહુલ ગાંધીએ PM મોદીની ટીકા કરતા પોસ્ટરનું કર્યું સમર્થનનવી ગાઈડલાઈન્સના મુખ્ય મુદ્દા આ મુજબ છેઃ

- આશા વર્કર્સ અને વિલેજ હેલ્થ સેન્ટિટેશન એન્ડ ન્યુટ્રિશિયન કમિટીની મદદથી નજર રાખવામાં આવશે.
- કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો રેપિડ એન્ટિજન કે પછી આરટીપીસીઆર દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે.
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની મદદથી લક્ષણ ધરાવતા દર્દીઓને ટેલી કન્ટલ્ટન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે.

- કોમોર્બિડિટી અને લો સેચ્યુરેશનવાળા દર્દીઓને સારવાર માટે હાયર સેન્ટર મોકલવામાં આવે.
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને એએનએમને રેપિડ એન્ટિજન ટેસ્ટિંગની ટ્રેનિંગ આપવામાં આવે.
- ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજન સેચ્યુરેશનને માપવા માટે પ્લસ ઓક્સિમીટર અને થર્મોમીટર ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવામાં આવે.
દિલ્હીમાં ચોથી વાર લંબાવાયું લૉકડાઉન, 24મે સુધી લાગુ રહેશે પ્રતિબંધો- આઈસોલેશન અને કોરેન્ટીનમાં દર્દીઓને ફોલોઅપ માટે ફ્રન્ટલાઈન વર્કર, વોલેન્ટિયર, શિક્ષક ઘરે-ઘરે જાય.
- આ બધાને આઈસોલેશન કિટ ઉપલબ્ધ કરાવવામાં આવે.
- હોમ આઈસોલેશનમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હોય, ઓક્સિજન 94 ટકાથી નીચે હોય, છાતીમાં દુખાવો હોય તો તે લોકો ડોક્ટરનો સંપર્ક કરે.
- ઓક્સિજન સેચ્યુરેશન 94 ટકાથી નીચે હોય તો ઓક્સિજન બેડ આપવામાં આવે.

- હોમ આઈસોલેશનમાં રહેનારા દર્દીઓનો 10 દિવસમાં આઈસોલેશન પૂરો થઈ જાય અને લક્ષણ વગરના દર્દીનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ હોય અને સતત 3 દિવસ તાવ ન હોય તો 10 દિવસમાં આઈસોલેશન પૂરો થાય.
- ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર માઈલ્ડ અને લક્ષણો વગરના દર્દીઓ માટે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, મોડરેટ કેસ માટે અને સીવિયર કેસવાળા દર્દીઓ માટે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સારવાર જરૂરી. ત્યાં 30 બેડની સગવડ હોય.

- કોવિડ કેર સેન્ટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની દેખરેખમાં સ્કૂલ, કોમ્યુનિટી હોલ, મેરેજ હોલ, પંચાયત બિલ્ડિંગમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવે.
- એક બેડથી બેજા બેડનું અંતર બે મીટર હોય, યોગ્ય વેન્ટિલેશન હોય.
- આ કોવિડ કેર સેન્ટર પાસે બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ હોય જેમાં પૂરતો ઓક્સિજન હોય અને તે 24 કલાકની સુવિધા હોય.
- જો અહીં દર્દી માઈલ્ડથી મોડરેટ કે સીવિયર હોય તો તેમને હાયર સેન્ટરમાં મોકલવામાં આવે.

આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓ
ટ્રાઈબ વિસ્તારોમાં મોબાઈલ મેડિકલ યુનિટની સગવડ હોય જેમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન હોય. તેની પાસે રેપિડ ઈન્ટિક્ટ કિટ હોય, આરટીપીસીઆર સેમ્પલની સુવિધા હોય. માઈલ્ડ કેસની સારવાર કરી શકે અને આ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ સાથે તેને જોડી શકાય. ગાઈડલાઈન્સ પ્રમાણે આ જગ્યાઓ પર એનજીઓની મદદ લઈ શકાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો