એપશહેર

ચંદ્રયાન-2નું હાર્ડ લેન્ડિંગ કેમ થયું? સરકારે જણાવ્યું કારણ

Gaurang Joshi | I am Gujarat 20 Nov 2019, 11:51 pm
નવી દિલ્હીઃ સરકારે બુધવારે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડિંગના સંબંધમાં દેશને જાણકારી આપી હતી. પીએમઓમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક સવાલનો લેખિતમાં જવાબ આપતા કહ્યું કે ચંદ્રયાન-2નું હાર્ડ લેન્ડિંગ એ કારણોસર થયું હતું કારણકે તેના ઉતરવા દરમિયાન વેગ સાથે નક્કી પેરામિટર્સ મેચ કરી શક્યા નહોતા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ઘટી ગયો હતો વેગ સ્પેસ વિભાગની જવાબદારી સંભાળી રહેલા જિતેન્દ્ર સિંહે કહ્યું કે પહેલા ફેઝનું અવરોહણ ચંદ્રથી 30થી 7.4 કિલોમીટરના અંતર પર નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયે વેગ 1683 મીટરથી ઘટીને 146 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું છે. આ કારણે થયું હાર્ડ લેન્ડિંગ તેમણે કહ્યું કે,’અવરોહણના બીજા ફેઝ દરમિયાન વેગના ઘટાડા પહેલા ડિઝાઈન વેલ્યૂ કરતા વધારે હતો. આ કારણે વિક્રમથી 500 મીટરના વિસ્તારમાં હાર્ડ લેન્ડિંગ થયું હતું.’ મંત્રીએ કહ્યું કે જોકે, ટેક્નોલોજીના બાકીના સાધનો,-લોન્ચ, ઓર્બિટલ ક્રિટિકલ મનુવર, લેન્ડર સેપરેશન, ડી બૂસ્ટ અને રફ બ્રેકિંગ ફેઝ સફળતાપૂર્વક થયું. સ્વદેશી વૈજ્ઞાનિક ઉપકરણનો ફાળો તેમણે એ પણ ઉમેર્યુ કે વૈજ્ઞાનિક હેતુસર માટે ઓર્બિટરના દરેક આઠ સ્વદેશી વૈજ્ઞાનિક ઉપકરણ ડિઝાઈન અનુસાર કામ કરી રહ્યાં છે અને મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. ચોક્કસ લોન્ચિંગ અને ઓર્બિટરની કુશળતાના કારણે ઓર્બિટરની મિશન લાઈફ સાત વર્ષ વધી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો