એપશહેર

2019નું અંતિમ સૂર્યગ્રહણ જોવામાં 14 બાળકોએ 70 ટકા દ્રષ્ટિ ગુમાવી

Yogesh Gajjar | I am Gujarat 20 Jan 2020, 2:49 pm
વર્ષ 2019નું અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે હતું. જેના જોવા માટે ગુજરાત સહિત દેશભરના લોકો ઉત્સાહમાં હતા. ત્યારે રાજસ્થાનના જયપુરમાં સૂર્યગ્રહણ જોયા બાદ 14 જેટલા બાળકોની આંખ 70 ટકા સુધી ખરાબ થઈ ગઈ છે. આ સૂર્યગ્રહણ સવારે 7.59 કલાકે શરૂ થઈને બપોરે 1.35 કલાક સુધી ચાલ્યું હતું. આ દરમિયાન બાળકોએ ચશ્મા વિના કે સુરક્ષાની વ્યવસ્થા વિના ગ્રહણ જોયું. આ બાદ તેમને થોડા સમય માટે દેખાવાનું જ બંધ થઈ ગયું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પાછલા 20 દિવસોથી જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આવા ઘણા મામલા સામે આવી રહ્યા છે. જેમાં બાળકોની સાથે મોટા લોકો પણ શામેલ છે. હાલમાં હોસ્પિટલના નેત્રરોગ વિભાગના બધા ડોક્ટર બીમારોની સારવાર પ્રયાસમાં લાગેલા છે. સવાઈ માનસિંહ હોસ્પિટલના નેત્ર વિભાગના HOD ડો. કમલેશ ખિલનાનીએ જણાવ્યું કે સૂર્યગ્રહણથી બાળકોની આંખને ખૂબ નુકસાન થયું છે. બાળકોની સારવાર ચાલી રહી છે અને જલ્દી જ તે સાજા થઈ જશે પરંતુ રેટિના પર જેટલી ખરાબ અસર પડે છે જેના જોતે તેઓ પહેલા જેવું સ્પષ્ટ નહીં જોઈ શકે. ડો. ખિલનાની મુજબ ચશ્મા વિના અને અન્ય કોઈ સુરક્ષા વ્યવસ્થા વિના સૂર્યગ્રહણ જોવાથી બાળકોની આંખ પર ખરાબ અસર થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે બાળકોની રેટિના બળી ગઈ છે અને આંખની અંદર પીળા ધબ્બા બનવાથી જોવામાં સમસ્યા થઈ રહી છે. જાણકારી અનુસાર 26 ડિસેમ્બરના સૂર્યગ્રહણ બાદથી પાછલા 20-25 દિવસોમાં એક ડઝનથી વદુ બાળકો સવાઈ માનસિંહ હોસ્પિટલ પહોંચ્યા છે. જુદા જુદા વિસ્તારોમાંથી આવનારા દર્દીઓની આંખમાં પરેશાનીનું કારણ સૂર્યગ્રહણને ચશ્મા વિના જોવાથી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

Read Next Story