એપશહેર

અકળાયેલા રાહુલ ગાંધીએ કહ્યું, 'વડાપ્રધાન મોદી ડરપોક છે, સેનાના બલિદાન પર થૂંકી રહ્યા છે'

રાહુલ ગાંધીનો સવાલ.. ભારતની પવિત્ર જમીન વડાપ્રધાન મોદીએ શા માટે ચીનને આપી દીધી?

I am Gujarat 12 Feb 2021, 10:44 am
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ પર ડિસએંગેજમેન્ટને લઈને મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધી પૈંગોંગ વેલી વિસ્તારમાં અમારા સૈનિકો ફિંગર 3 સુધી તૈનાત રહેશે, જ્યારે કે આપણો વિસ્તાર ફિંગર 4 છે. તેમણે વડાપ્રધાન મોદીને પૂછ્યું છે કે આપણો વિસ્તાર તેમણે ચીનીઓને શા માટે સોંપ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, "ગઈકાલે સંરક્ષણ મંત્રી પૂર્વ લદ્દાખની સ્થિતિ નિવેદન આપ્યું. હવે આપણને ખ્યાલ આવે છે કે આપણા સૈનિકો ફિંગર 3 પર તૈનાત રહેશે. ફિંગર 4 અમારો વિસ્તાર છે. હવે ફિંગર 4થી ફિંગર 3 પર આવી ગયા છીએ. મિસ્ટર મોદીએ આપણો વિસ્તાર ચીનીઓને આપી દીધો?"
I am Gujarat china border disengagement our army is ready our airforce is ready our navy is ready but our prime minister is not ready to take china on rahul gandhi
અકળાયેલા રાહુલ ગાંધીએ કહ્યું, 'વડાપ્રધાન મોદી ડરપોક છે, સેનાના બલિદાન પર થૂંકી રહ્યા છે'


રાહુલે કહ્યું કે, "ભારતની સરકારની નેગોશિએટિંગ પોઝિશન હતી કે એપ્રિલ 2020માં જે સ્થિતિ હતી, તે જ યથાવત રહે. તેને સરકાર ભૂલી ગઈ. ચીનની સામે નરેન્દ્ર મોદીએ પોતાનું માથું ઝુકાવી દીધું. માથું ટેકવી દીધું. આપણી જમીન ફિંગર 4 સુધી છે. નરેન્દ્ર મોદીએ ફિંગર 3થી ફિંગર 4ની જમીન ચીનને આપી દીધી."

વડાપ્રધાન ડરપોક છે કે જેઓ ચીનની સામે ઉભી નથી રહી શકતા. આ જ તથ્ય છે. તેઓ સેનાના બલિદાન પર થૂંકી રહ્યા છે, તેઓ આ જ કરી રહ્યા છે. તેઓ સેનાના ત્યાગનું અપમાન કરી રહ્યા છે. ભારતમાં કોઈનું આવું કરવાની પરવાનગી નથી.


રાહુલે બોર્ડરથી ડિસએંગજમેન્ટ પર સવાલ ઉઠાવીને કહ્યું કે તેનાથી ભારતને કશું નહીં મળે. તેમણે પૂછ્યું કે મજબૂત સ્થિતિમાં પહોંચ્યા પછી સેનાને પાછળ હટવા માટે શા માટે કહેવામાં આવ્યું. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, "સખત મહેનત બાદ ભારતીય સેનાએ જે કંઈ મેળવ્યું છે, તેમને શા માટે પાછળ હટવા માટે કહેવામાં આવી રહ્યું છે? આના બદલામાં ભારતને શું મળશે? સૌથી જરુરી વાત એ છે કે દેપસાંગ પ્લેન્સમાં ચીની પાછળ કેમ નથી હટ્યા? તેઓ ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી પાછળ કેમ નથી હટ્યા? ભારતની પવિત્ર જમીન નરેન્દ્ર મોદીએ ચીનને શા માટે આપી દીધી. આ હકીકત છે."

વડાપ્રધાન આપવું જોઈતું હતું નિવેદન

રાહુલ ગાંધીએ કહ્યું કે, "ગઈકાલે સંરક્ષણ મંત્રી આવીને એક નાનું ભાષણ આપી દે છે, વડાપ્રધાને આવીને આવું શા માટે ના કહ્યું? વડાપ્રધાને કહેવું જોઈએ કે મેં ભારતની જમીન ચીનને આપી દીધી છે." રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સના અંતમાં કહ્યું કે, દેશની જમીનની રક્ષા કરવી વડાપ્રધાનની જવાબદારી છે. તેઓ આવું કઈ રીતે કરે છે એ તેમની સમસ્યા છે, મારી નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો