એપશહેર

'55 વર્ષથી બાપ્પા મારી સાથે' ગણેશના મોટા ભક્ત છે ખ્રિસ્તી વેપારી, મંદિર માટે 2 કરોડ ખર્ચ્યા

ગણપતિ દાદાના આ ખ્રિસ્તિ ભક્તે રુ. 2 કરોડના ખર્ચે પોતાના ગામમાં બાપ્પાનું મંદિર બનાવ્યું. વર્ષોથી છે મુંબઈના સિદ્ધિ વિનાયકમાં શ્રદ્ધા.

I am Gujarat 23 Jul 2021, 2:04 pm

હાઈલાઈટ્સ:

  • કર્ણાટકના ઉડ્ડુપીની પાસે આવેલા એક નાનાકડા ગામના ગેબ્રિયલ નાઝરેથ વર્ષો પહેલા પહેરેલ કપડે મુંબઈ આવ્યા હતા.

  • સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં નોકરી મળતાં બાપ્પાના ભક્ત બન્યા અને આજે તેમની ભક્તી જોઈને આશ્ચર્ય થશે.

  • 55 વર્ષની ઉંમરે ગામડે જઈને નિવૃત જીવન જીવવાનું નક્કી કર્યું ત્યારે ગામડામાં રુ. 2 કરોડના ખર્ચે બાપ્પાનું મંદિર બનાવ્યું.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat christian bizman from mumbai builds siddhi vinayak ganesha temple in his home town udupi with rs 2 crore
'55 વર્ષથી બાપ્પા મારી સાથે' ગણેશના મોટા ભક્ત છે ખ્રિસ્તી વેપારી, મંદિર માટે 2 કરોડ ખર્ચ્યા
મુંબઈઃ ગેબ્રિયલ નાઝરેથ જ્યારે 13 વર્ષના હતા તો ખિસ્સામાં માત્ર 2 રુપિયા લઈને મુંબઈ આવ્યા હતા. તેમને એ ખબર નહોતી કે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. ગેબ્રિયલે અનેક રાતો ફુટપાથ પર પસાર કરી અને પેટ ભરવા માટે અનેક પ્રકારના નાના-મોટા કામ પણ કર્યા. અંતે એક દિવસ તેમને મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરની પાસે સ્થિત એક મેટલ ડાઇની દુકાનમાં નોકરી મળી. ત્યારબાદ તેઓ જ્યારે પણ સિદ્ધિ વિનાયક મંદિર સામેથી પસાર થતા, તો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા. ધીમેધીમે તેઓ ભગવાન ગણેશના ભક્ત બની ગયા.
સંદીપમાંથી અલીશા બની, આજે મળી ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમનને ઓળખ
અમુક વર્ષો સુધી નોકરી કર્યા પછી તેમણે બ્લોક અને મોલ્ડ મેન્યુફેક્ચરિંગની ફેક્ટરી શરુ કરી. ગેબ્રિલ ભલે પોતે ખ્રિસ્તી છે પણ ભગવાન સિદ્ધિવિનાયક માટે અપાર શ્રદ્ધા છે. તેમનો અને ગણપતિ દાદાનો બોન્ડ 55 વર્ષનો છે. એક દાયકા પહેલાં ગેબ્રિલ પોતાને વતન આવ્યા ત્યારે તેમણે ભગવાન ગણેશનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું.
કોરોનાને ભગાડવા માટે જો વધુ પડતી સ્ટીમ લઈ લો તો પણ બ્લેક ફંગસ થઈ શકે
સમયની સાથે તેમણે વેપારમાં સારા પૈસા કમાયા. પરંતુ એક દિવસ તેઓએ નક્કી કર્યું કે હવે ઘણું થયું પોતે ગામ પરત જશે અને નિવૃત્ત જિંદગી પસાર કરશે. ગેબ્રિયલે પોતાનો કારોબાર વેચી દીધો અને તેઓ કર્ણાટકના ઉડ્ડુપીથી 14 કિલોમીટર દૂર સ્થિત પોતાના ગામ શિરવા આવી ગયા. તેમના માતા-પિતાનું પણ નિધન થઈ ચૂક્યું હતું અને તેમના તમામ ભાઈ-બહેન અલગ-અલગ સ્થળે વસી ગયા હતા. તેઓ આટલા વર્ષો દરમિયાન પોતાના પરિવાર સાથે સંપર્કમાં રહ્યા હતા. તેઓએ લગ્ન નથી કર્યા. તેમની પાસે શિરવામાં એક વારસાઈ જમીન હતી. એક દિવસ ગેબ્રિયલે તે જમીન પર પોતાના માતા-પિતાની સ્મૃતિમાં ભગવાન ગણેશનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો.
25 વર્ષની પરિણીતા બાળક સાથે છેક બંગાળથી વિદ્યાનગર 18 વર્ષના પ્રેમીને મળવા પહોંચી
ગેબ્રિલના જર્નાલિસ્ટ મિત્ર પુંડાલિકા મરાઠેએ કહ્યું, ગણપતિ દાદાએ મારા મિત્રની દરેક ઈચ્છા પૂર્ણ કરી છે. તે ઉડુપીમાં મંદિર બનાવવા માગતો હતો. આ મંદિરમાં ભગવાનની 36 ઇંચની મૂર્તિ છે અને તેમાં સવાર-સાંજ પૂજા થાય છે. મંદિરમાં પૂજારીઓ માટે અલગથી રહેવાની વ્યવસ્થા પણ કરી છે.
આ મંદિરનું કામ તો છેલ્લા ઘણા સમયથી ચાલુ હતું પણ કોરોના મહામારીને લીધે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં મોડું થયું. ગયા અઠવાડિયે મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ગેબ્રિલના મિત્રો જ આ મંદિરના દેખરેખનું કામ કરે છે. ગેબ્રિલ વર્ષોથી ગણપતિ દાદાનું મંદિર બનાવવા ઇચ્છતા હતા. તેમની ઈચ્છા પૂરી થઈ જતા તેઓ ઘણા ખુશ છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓની અવર-જવર પણ ચાલુ થઈ ગઈ છે.
ASIની ગુમ પુત્રીનો કેસઃ 'હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું, તું નોકરાણી' કહી PI સસરા ત્રાસ આપતા
જોકે, એક ખ્રિસ્તી વ્યક્તિ દ્વારા મંદિર નિર્માણ સામે કેટલાક લોકોએ વાંધો પણ ઉઠાવ્યો. ગેબ્રિયલનું કહેવું છે કે, કોઈ શું વિચારે છે તેની ચિંતા નથી કરતો. ભલે તે પરિવારના સભ્યો હોય કે ગામ લોકો. મેં આ મંદિર મારા માતા-પિતાની સ્મૃતિમાં બનાવ્યું છે .હું રોજ મંદિર જઈને ખુશ થાઉં છું’. ગેબ્રિયલે મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ હૂબહૂ મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી બનાવડાવી છે.

Read Next Story