ઈંદ્રાણી બાગચીઃ ભારતીય નાગરિક કુલભુષણ જાધવને પાકિસ્તાનમાં સંભળાવાયેલી ફાંસી પર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ સ્ટે લગાવી દીધો છે. નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી ICJ 15એ જ્યારે ખુલશે ત્યારે કુલભુષણ જાધવના કેસમાં ભારતનો પક્ષ આતંરરાષ્ટ્રીય કાયદાની તાલિમ ક્ષેત્રે એક નવો ઈતિહાસ બનાવી લેશે. ભારત તરફથી હરીશ સાલ્વે જાધવનો કેલ લડશે. મનાઈ રહ્યું છે કે ICJમાં ભારત એટલી ચતુરાઈ પૂર્વ કાયદાની પહેલને અંજામ આપ્યો કે પાકિસ્તાન સહિત બધા જ ચોંકી ગયા છે. ભારતની માગ પર ICJ જે ‘અલ્પકાલિક પગલા’ ભરવાનો આદેશ આપ્યો, તેમા જાધની ફાંસી પર રોક પણ સામેલ છે. પાકિસ્તાન 19 મે પહેલા જાધવને ફાંસી નહીં આપી શકે. ફાંસની સજાને પાછી ખેંચી શકાય એમ નથી પણ ICJનું આ પગલું ભારત અને જાધવ માટે રાહતના થોડો શ્વાસ ચોક્કસથી આપી શકે એમ છે.
ભારતે શું કર્યું?
આ મામલે અત્યંત સતર્કતા સાથે આગળ વધી રહેલા ભારતીય પક્ષનો પ્રથમ પ્રયાસ જ એ હતો કે ગમે તેમ કરીને જાધવની ફાંસી પર રોક લગાવી શકાય. અને એટલે જ ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાની એક ‘બારી’નો ઉપયોગ કર્યો. ભારત અને પાકિસ્તાન બન્ને 1960માં ICJનો ભાગ બન્યા. બન્ને પક્ષો દ્વારા દાખલ કરાયેલા વિરોધપત્રોને પગલે બન્ને દેશો એકબીજા વિરુદ્ધ કેસ કરી ના શકે. એ જ કારણ હતું કે ભારત કારગીલ શહીદ સૌરભ કાલિયા મર્ડર કેસમાં પાકિસ્તાન વિરુદ્ધ કેસ દાખલ નહોતું કરી શક્યું. એ જ રીતે, કારગીલ યુદ્ધના થોડા દિવસ બાદ ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાની પ્લેન તોડી પાડવાના મામલે પણ પડોશી દેશ કંઇ નહોતો કરી શક્યો. જોકે, બન્ને દેશોએ વિએના સમજૂતી પર હસ્તાક્ષર કરી “Article I of the Optional Protocol to the Vienna Convention on Consular Relations concerning the Compulsory Settlement of Disputes of 24 April 1963” અંતર્ગત ન્યાયક્ષેત્રમાં પ્રવેશી ગયા છે. જાધવને બચાવવા માટે ભારતે આ જ પ્રાવધાનનો ઉપયોગ કર્યો.
ભારતનો તર્ક
ભારતે CIJમાં પાકિસ્તાન પર વિએના એગ્રિમેન્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. ભારતે જણાવ્યું હતું કે રિટાયર્ડ અધિકારીને ઈરાનમાંથી પકડામાં આવ્યો, જ્યાં તે સૈન્યમાંથી રિટાયર થયાં બાદ કમર્શિયલ એક્ટિવિટીમાં વ્યસ્ત હતો. ભારતે પોતાની અપીલમાં એવું પણ જણાવ્યું કે જાધવને પકડ્યા બાદ લાંબા સમય સુધી આ મામલે ભારતને કોઈ જ સૂચના નહોતી અપાઈ. ભારતે પાકિસ્તાનની નિંદા કરતા એવું પણ કહ્યું કે તે આરોપીના માનવાધિકારનું રક્ષણ કરવામાં નિષ્ફળ નિવડ્યું છે.
ભારતનો દાવો
ભારતે કહ્યું કે 23 જાન્યુઆરી 2017ના રોજ પાકિસ્તાને ભારત સમક્ષ કુલભુષલની પૂછપરછમાં મદદ માગી. આ મદદ જાધવ પર પાકિસ્તાનમાં જાસુસી અને આંતકવાદી ગતીવિધિમાં સામેલ હોવાના આરોપ લગાવતા માગવામાં આવી હતી. 21 માર્ચ 2017ના રો ભારતને અત્યંત અનૌપચારિક રીતે જાણ કરવામાં આવી કે જાધવને રાજનાયિક મદદ પાકિસ્તાન દ્વારા તપાસમાં મદદ માગતી વખતે ભારતે આપેલી પ્રતિક્રિયા પર નિર્ભર કરે છે. ભારતનો દાવો છે કે જાધવન મામલે ડિપ્લેમોટિક મદદ માટે પાકિસ્તાન દ્વારા તપાસમાં મદદ માગવી જ વિએના સમજૂતીનું ઉલ્લંઘન છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.