એપશહેર

અયોધ્યા પર ચુકાદા પહેલા CJI ગોગોઈએ UPના DGP અને મુખ્ય સચિવ પાસે લીધી અપડેટ

Tejas Jinger | I am Gujarat 8 Nov 2019, 12:52 pm
નવી દિલ્હીઃ અયોધ્યા પર ચુકાદો ગમે ત્યારે આવી શકે છે તેવી ખબરો વચ્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ પણ સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તેની ખાસ તકેદારી અને સુરક્ષા અપડેટ લઈ રહ્યા છે. રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશના ડીજીપી અને મુખ્ય સચિવ પાસેથી હાલની સ્થિતિ અંગે માહિતી અને અપડેટ લીધા છે. ગોગોઈએ ડીજીપી ઓપી સિંહ અને મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારી સાથે મુલાકાત માટે તેમને દિલ્હી બોલાવ્યા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ પહેલા ગુરુવારે રાત્રે સીએમ યોગી આદિત્યનાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રદેશના ડિવિઝનલ કમિશનરો, કલેક્ટરો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને સુરક્ષાની સ્થિતિ અંગેનો રિપોર્ટ લીધો હતો. યોગીએ અયોધ્યા પર સુપ્રીમનો ચુકાદો આવે તેને ધ્યાનમાં રાખીને લખનૌ અને અયોધ્યામાં બે હેલિકોપ્ટર તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સંદિગ્ધો પર નજરઅયોધ્યા પર ચુકાદો આવે તે પહેલા ઉત્તરપ્રદેશની પોલીસ પણ સતર્ક બની ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસે બેરિકેટ્સ લગાવ્યા છે અને અજાણ્યા વાહનો તથા સંદિગ્ધો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ પહેલા પોલીસે કાર્યવાહી કરીને 500 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 12000 લોકો પર નજર રાખવામાં આવી રહી છે.17 નવેમ્બર પહેલા ગમે ત્યારે આવી શકે છે નિર્ણયનોંધનીય છે કે મુખ્ય જજ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટ 16 ઓક્ટોબરે સુનાવણી પૂર્ણ થયા પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ગોગોઈની નિવૃત્તી પહેલા ગમે ત્યારે રામ મંદિર પર ચુકાદો આવી શકે છે. એવામાં યુપી સરકારે અયોધ્યા સહિત રાજ્યમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે જેથી કોઈ અપ્રિય ઘટના બને તો તેનો નિવેડો લાવી શકાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો