એપશહેર

કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામુ, કહ્યું-'મારૂ અપમાન કર્યું'

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રીએ રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને મળીને પોતાનું રાજીનામુ સોંપ્યું હતું. રાજીનામુ આપ્યા બાદ તેઓનું દર્દ છલકાયુ હતુ અને કહ્યું કે, મારુ અપમાન થયું

I am Gujarat 18 Sep 2021, 5:21 pm

હાઈલાઈટ્સ:

  • પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી આપ્યુ રાજીનામુ
  • રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને મળીને પોતાનું રાજીનામુ સોંપ્યું હતું
  • રાજીનામુ આપ્યા બાદ બોલ્યા-હું અપમાન અનુભવી રહ્યો છું. સમયે નિર્ણય લેવાશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat cm amrd
પંજાબઃ ગુજરાત બાદ હવે પંજાબમાં ઉથલપાથલ સર્જાઈ છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. તેઓએ રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને મળીને પોતાનું રાજીનામુ સોંપ્યું હતું. રાજીનામુ આપ્યા બાદ તેઓનું દર્દ છલકાયુ હતુ અને કહ્યું કે, મારુ અપમાન કરવામાં આવ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસ પ્રેસિડન્ટ સાથે સવારે જ વાત થઈ ગઈ હતી કે તેઓએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે. એ પછી ત્રણ વખત ધારાસભ્યો સાથે બેઠક યોજવામાં આવી અને નિર્ણય લેવામાં એનાથી મને અપમાનનો અનુભવ થયો હતો.
હાલ કોંગ્રેસમાં, ભવિષ્યમાં નિર્ણય લઈશું
અમરિંદર સિંહે કહ્યું કે, હાલ તો તેઓ કોંગ્રેસમાં છે. જ્યાં સુધી ભવિષ્યની વાત છે ત્યાં સુધીમાં સહયોગીઓ સાથે વાત કરવામાં આવશે અને પછી નિર્ણય લેવાશે. જ્યાં સુધી આગલા મુખ્યમંત્રીની વાત છે તો જે નિર્ણય લેવો હોય એ લઈ શકે છે હું કંઈ પણ નહીં કહું. જેને મુખ્યમંત્રી બનાવવા હોય તેને બનાવી શકો છો. સમર્થકોને કહ્યું છે કે, તેઓ સીએલપીની બેઠકમાં જરૂર ભાગ લે. પાર્ટી કમાન્ડને જેના પર વિશ્વાસ હોય તેને મુખ્યમંત્રી બનાવી શકે છે.

દાણીલીમડાનો પરિવાર ગોવામાં મોજ કરી રહ્યો હતો, ચોરો ઘરમાંથી રૂ. 9 લાખ ચોરી ગયા

કોના હાથમાં કમાન?
અમરિંદર સિંહ બાદ પંજાબની કમાન કોને સોંપાશે એ હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. પણ પ્રતાપ સિંહ બાજવા, સુનીલ જાખડ અને અંબિકા સોનીના નામ હાલ ચર્ચામાં છે. એવી ચર્ચા થઈ રહી છે કે, નવજોત સિંહ સિદ્ધૂ અને કેપ્ટનના વિવાદમાં આ જોવાનો વારો આવ્યો છે.

UAEમાં રહેતા ભારતીય હિન્દુઓ માટે સારા સમાચાર, ટુંક સમયમાં તૈયાર થઈ જશે દુબઈનું ભવ્ય મંદિર

કેપ્ટનને રાજીનામુ આપવા કહેવાયું હતું
કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપતા પહેલા કહ્યું હતું કે, તેઓ અપમાન સહન નહીં કરે. પ્રેસ સેક્રેટરી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, જો તેઓને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવશે તો તેઓ પાર્ટીમાં પણ નહીં રહે.

1647 દિવસ રહ્યા મુખ્યમંત્રી
પંજાબના મુખ્યમંત્રી તરીકે તેઓ લગભગ1647 દિલસ સુધી રહ્યા હતા. તેમના રાજીનામા પહેલા તેમના દીકરા રનિંદર સિંહે ખાસ ટ્વીટ કરીને કહ્યું હતું કે, પિતાના નિર્ણય પર ગર્વ છે. હવે તેમના પિતા પરિવારના મોભી તરીકે કામ કરશે. જે રીતે મારા પિતાએ જનતાની સેવા કરી એનાથી પંજાબની જનતા સંતુષ્ટ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો