એપશહેર

રિઝર્વેશન કરાવનારા દરેક મુસાફરને કન્ફર્મ સીટ આપવા પર કામ કરી રહ્યું છે રેલવેઃ મનોજ સિન્હા

I am Gujarat 12 Sep 2016, 6:28 pm
નવી દિલ્હીઃ મુસાફરોને તેમની માગ પર ટ્રેનમાં કન્ફર્મ સીટ પૂરી પાડવા પર રેલવે વિચાર કરી રહ્યું છે. રેલવે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને તે પોતાના નેટવર્કમાં વિસ્તાર કરી રહ્યું છે. રેલવે રાજ્યપ્રધાન મનોજ સિન્હાએ સોમવારે કહ્યું હતું કે, ‘અમે 2020 સુધી આ પ્રકારનું નેટવર્ક બનાવી દઈશું, જેમાં લોકોને ડિમાન્ડ પર રિઝર્વ સીટ મળી શકે. જોકે આમ કરવું એક દિવસમાં સંભવ નથી.’ રોજબરોજ મોટી સંખ્યામાં ટ્રેનોમાં લોકો વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવા મજબૂર બને છે. તેનું કારણ સીટ્સની ઉપલબ્ધતા અને મુસાફરોની સંખ્યામાં વિશાળ અંતર છે.
I am Gujarat confirmed seat on demand by 2020 says state railway minister
રિઝર્વેશન કરાવનારા દરેક મુસાફરને કન્ફર્મ સીટ આપવા પર કામ કરી રહ્યું છે રેલવેઃ મનોજ સિન્હા


રેલવેએ મુખ્ય રૂટ્સ પર દબાણનો સામનો પણ કરવો પડી રહ્યો છે. દેશમાં 66,500 કિલોમીટર રૂટ પર કુલ 12,000 ટ્રેન દોડે છે. એક કાર્યક્રમ બાદ મનોજ સિન્હાએ કહ્યું હતું કે, રેલવેમાં મુસાફરોની ડિમાન્ડ અને વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું અંતર છે. રેલવેના ટ્રાફિકમાં આઝાદી બાદથી અત્યાર સુધીમાં 20 ગણો વધારો થયો છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 2.25 ગણો વિકાસ થયો છે, જેને લીધે મુસાફરોની માગ અને ઢાંચાગત સુવિધાઓમાં મોટું અસંતુલન છે.

સિન્હાએ કહ્યું હતું કે, ‘અલાહાબાદ-મુગલસરાય રૂટ પર સૌથી વધુ દબાણની સ્થિતિ છે. દેશમાં કુલ 67 મુખ્ય રૂટ ભારે દબાણની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેને ઘટાડવા માટે રેલવે તરફથી પ્રયાસો ચાલુ છે.’ કેન્દ્રની એનડીએ સરકાર તરફથી રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાની જાણકારી આપતા સિન્હાએ કહ્યું હતું કે, ‘મે, 2014 પહેલાં રેલવેમાં સરેરાશ રોકાણ 48,000 કરોડ રૂપિયા હતું. તે ગયા વર્ષે વધીને એક લાખ કરોડ રૂપિયા કરી દેવાયું હતું. આગામી પાંચ વર્ષોમાં રેલવેમાં 8.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો