એપશહેર

PM મોદીને કારણે વર-વધુ વચ્ચે થયો ઝઘડો, લગ્ન તૂટ્યાં!

Shailesh Thakkar | I am Gujarat 11 Jul 2017, 8:55 pm
I am Gujarat conflict over narendra modi between bride and groome become a reason to cancel marriage
PM મોદીને કારણે વર-વધુ વચ્ચે થયો ઝઘડો, લગ્ન તૂટ્યાં!


યુવક બિઝનસમેન જ્યારે યુવતી સરકારી કર્માચારી

કાનપુર: રાજનૈતિક વિચારધારા મેળ ન ખાતા એક નક્કી થયેલા લગ્ન તૂટી ગયા. એક બિઝનેસમનના લગ્ન એક ગવર્મેન્ટ એમ્પ્લોઈ સાથે નક્કી થયા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે છોકરા અને છોકરીમાં ઝઘડો થઈ ગયો અને છેવટે લગ્નના એક દિવસ પહેલા બંનેનો સંબંધો તૂટી ગયો.

મંદિરમાં શરૂ થયેલી ચર્ચા ઝઘડામાં પલટાઈ

લગ્નની તૈયારીઓ અંગે ચર્ચા કરવા યુવક-યુવતી પોતપોતાના પરિવાર સાથે એક મંદિરમાં ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા થવા લાગી. યુવતીએ દેશની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું કહ્યું અને તેના માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા. બીજી તરફ યુવક મોદી વિશે કશું સાંભળવા તૈયાર નહોતો. થોડા જ સમયમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ.

પરિવાર પણ સમાધાન ન કરાવી શક્યા

યુવતીએ કહ્યું કે, લગ્ન માટે તે પોતાના વિચારો ન બદલી શકે. તેણે કહ્યું કે, તે જે વિચારી છે તે જ બોલી રહી છે અને જરૂરી નથી કે, યુવકને જે યોગ્ય લાગે તે જ તેને પણ લાગે. આની સામે યુવકે કહી દીધું કે, તે મોદી વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા માટે તૈયાર નથી. ત્યારબાદ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી. બંને પરિવારોએ સમાધાન કરાવવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા. યુવતીએ કહ્યું કે તે એવા વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે જેને તેના વિચારોની કદર ન હોય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો