એપશહેર

હાથરસ માટે રવાના થયા રાહુલ-પ્રિયંકા, કોંગ્રેસીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

રાહુલ ગાંધી સાંસદો સાથે હાથરસ રવાના, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ વખતે પણ જવા નહીં દે તો અમે ફરી પ્રયાસ કરીશું

I am Gujarat 3 Oct 2020, 5:24 pm
ઉત્તરપ્રદેશના હાથરસ કેસમાં ભારે હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસમાં જવા માટેની મંજૂરી મળી ગઈ છે. તેમની સાથે માત્ર 5 જ વ્યક્તિ જઈ શકશે. પોલીસે જ્યારે અન્ય ગાડીઓને આગળ જતા રોકી ત્યારબાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો શરૂ કર્યો. પછી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીન જવાની મંજૂરી આપી દીધી. ત્યારબાદ કોંગ્રેસ સમર્થકોએ હોબાળો કરતા પોલીસે લાઠીચાર્જ કરી દીધો હતો. મીડિયાની સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે.
I am Gujarat q1


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પીડિત પરિવારને મળવા માટે સાંસદોની સાથે દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયથી હાથરસ જવા માટે રવાના થયા છે. પ્રિયંકા અને રાહુલ ડીએનડી ફ્લાઈવે પર પહોંચી ગયા છે. અહીં તેઓને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. હવે બીજેપી તરફથી નિવેદન આવી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની હાથરસની મુલાકાતને પોલિટિકલ સ્ટંટ ગણાવ્યો છે જ્યારે યોગીના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે રાહુલ અને પ્રિયંકાએ હાથરસને ટૂરિસ્ટ સ્પોટ બનાવી દીધું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીને મળવા પહોંચેલા કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ હાથરસના ડીએમ પર કાર્યવાહીની વાત કરી છે. જ્યારે, લખનઉમાં ઉત્તરપ્રદેશના કોંગ્રેસ ચીફ અજય લલ્લુને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે.

હાથરસ માટે રવાના થતા પહેલા પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જો આ વખતે મુલાકાત ના થઈ શકે તો અમે ફરીવખત પ્રયાસ કરીશું. રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ સાંસદ પણ તેમની સાથે હાજર છે.

ડીએનડી બોર્ડર પર કમિશનર આલોક સિંહ પહોંચી ગયા છે. ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તેઓ રાહુલ ગાંધી આવે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યાં લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓની ભીડ પર નોઈડાના એડીસીપી રણવિજય સિંહે કહ્યું કે અહીં કલમ 144નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગેરકાયદેસર જનસભાને નિયંત્રિત કરવા માટે પોલીસબળ હાજર છે. અમે સતત લોકોને શાંતિ માટેની અપીલ કરી રહ્યા છીએ.

જ્યારે બીજી બાજુ દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે અમારા હેતુ માત્ર પરિવારને મળવાનો છે અને તેમની ફરિયાદ સાંભળવાનો છે. હાથરસ ગેંગરેપ કેસમાં રાજકારણ બરાબરનું ગરમાયું છે તેની વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સીએમ યોગી આદિત્યનાથ આ કેસમાં ન્યાય કરશે. સાથો સાથ તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેમની હાથરસ કૂચ કરવી માત્ર પોતાની રાજનીતિ કરવાનું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો