એપશહેર

106 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા પી ચિદમ્બરમ, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Gaurang Joshi | I am Gujarat 4 Dec 2019, 8:50 pm

તિહાડ જેલમાંથી બહાર આવ્યા પી ચિદમ્બરમનવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયાથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા પછી પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમ (74)ને તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. તેમને ઈડી દ્વારા દાખલ કરાયેલા કેસમાં જામીન મળ્યા છે, જ્યારે સીબીઆઈ દ્વારા દાખલ થયેલા કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. ચિદમ્બરમ હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે જશે. ચિદમ્બરમને જામીન મળવાથી કોંગ્રેસમાં ખુશીની લહેર છવાઈ છે. પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પૂર્વ નાણાંમંત્રી તેઓ નિર્દોષ છે તેવું સાબિત કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોજેલમાંથી બહાર નીકળી કહ્યું આવુંજેલમાંથી બહાર નીકળ્યા પછી પી ચિદમ્બરમે મીડિયાને સંબોધન કર્યું અને કહ્યું કે, ‘મારા વિરુદ્ધ એકપણ આરોપ નથી છતાં મને 106 દિવસ સુધી કેદમાં રાખવામાં આવ્યો. હું આ દરેકનો જવાબ કાલે આપીશ’. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે શરત રાખી હતી કે તે આ સંબંધમાં પ્રેસ કોન્ફરન્સ નહીં કરે, છતાં તેમણે જેલમાંથી બહાર નીકળતા જ નિવેદન આપ્યું છે.
શરત સાથે જામીનઉચ્ચ અદાલતે ચિદમ્બરમને થોડી શરતો સાથે જામીન આપ્યાં છે. જેમ કે છૂટ્યા પછી તે સાક્ષીને સંપર્ક કરવાની કોશિશ નહીં કરે અને કોર્ટની પરવાનગી વગર વિદેશ ન જઈ શકે. આ ઉપરાંત આ કેસ વિશે પ્રેસ કોન્ફરન્સ પણ નહીં કરે. કોર્ટે ચિદમ્બરમને 2 લાખના જાત મુચરકા અને પરવાનગી વગર દેશ નહીં છોડવાની શરતે જામીન આપ્યાં છે.
રાજ્યસભાની કાર્યવાહીમાં લેશે ભાગપી ચિદમ્બરમ કાલે એટલે કે ગુરુવારે સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. તેમના દીકરા કાર્તિએ જણાવ્યું કે રાજ્યસભા સાંસદ ચિદમ્બરમ કાલે 11 કલાકે સંસદમાં હશે. જામીન મળ્યા પછી ચિદમ્બરમના પત્ની નલિનીની પણ પ્રતિક્રિયા આવી છે મની લોન્ડ્રિંગ કેસમાં જામીન મળતાં તેમણે કહ્યું કે તેઓ સંસદના શીતકાલીન સત્રમાં ભાગ લેશે. વરિષ્ઠ વકીલ નલિનીએ કહ્યું કે તે ખુશ છે કે તેના પતિને જામીન મળ્યા છે. પોતાના સ્વાસ્થ્યની દેખભાળ પછી તે રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લેશે.
106 દિવસ પછી આવ્યા જેલની બહારચિદમ્બરમ 106 દિવસ જેલની અંદર પસાર કર્યા પછી બહાર આવ્યાં છે. ચિદમ્બરમને 21 ઓગસ્ટના રોજ સીબીઆઈએ ધરપકડ કરી હતી અને 16 ઓક્ટોબરે આ જ મામલે ઈડીએ ધરપકડ કરી હતી. ઈડી દ્વારા દાખલ કરેલા કેસમાં હાઈકોર્ટે એવું કહીને જામીન આપવા ઈન્કાર કર્યો હતો કે પહેલી નજરે મામલો ગંભીર છે અને અપરાધમાં તેમની સક્રિય ભૂમિકા લાગી રહી છે. જસ્ટિસ સુરેશે કહ્યું કે જો જામીન આપવામાં આવ્યા તો સમાજમાં ખોટો મેસેજ જશે.કોંગ્રેસમાં ખુશીની લહેર દોડીચિદમ્બરમને જામીન મળતાં જ તેમના પરિવાર અને પાર્ટીમાં ખુશીનું વાતાવરણ છવાયું છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, ચિદમ્બરમ પોતે નિર્દોષ છે તેવું સાબિત કરશે. તેમણે ટ્વીટ કરી હતી કે,’આખરે સચ્ચાઈની જીત થઈ. સત્યમેવ જયતે. પી ચિદમ્બરમને 106 દિવસ કેદમાં રાખવા એ બદલો લેવા જેવું હતું. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યાં તે વાતની મને ખુશી છે. મને ભરોસો છે કે ટ્રાયલમાં તે પોતે નિર્દોષ છે તેવું સાબિત કરશે.’

Read Next Story