એપશહેર

સતત ત્રીજા દિવસે 3 લાખથી ઓછા કેસ નોંધાયા, મૃત્યુઆંક 4000નો પીછો નથી છોડતો

India's Covid-19 tally: ભારતમાં કોરોનાના કેસ સતત 12 દિવસથી ઘટી રહ્યા છે, પહેલા નંબરે રહેલું મહારાષ્ટ્ર ચોથા નંબરે થઈ ગયું

TNN 19 May 2021, 8:00 am

હાઈલાઈટ્સ:

  • ભારતમાં સતત ઘટી રહ્યા છે કોરોનાના દૈનિક કેસ
  • દેશમાં 3 લાખથી ઓછા કેસ નોંધાય, મૃત્યુઆંક ચિંતાનું કારણ
  • દુનિયાના બાકી દેશો કરતા ભારતમાં નોંધાય છે સૌથી વધારે કેસ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat consecutive 3rd day india reported below three lakh cases in india
સતત ત્રીજા દિવસે 3 લાખથી ઓછા કેસ નોંધાયા, મૃત્યુઆંક 4000નો પીછો નથી છોડતો
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ મૃત્યુઆંક હજુ પણ ચિંતાનો વિષય બનેલા છે. મંગળવારે સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે અને કેસનો આંકડો 3 લાખની નીચે રહ્યો છે. બીજી તરફ કોરોનાથી થતા મૃત્યુનો આંકડો 4000ની નજીક નોંધાયો છે. પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,67,122 નવા કેસ નોંધાયા છે જ્યારે 3,915નાં મોત થયા છે.

સતત 12 દિવસથી નોંધાઈ રહ્યો છે ઘટાડો

પાછલી 6 મેના રોજ કોરોનાના કેસ પીક પર પહોંચ્યા બાદ તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, પાછલા 12 દિવસથી નવા કેસમાં ઘટાડો છતાં દુનિયાના કોઈ દેશમાં નોંધાતા કેસમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં 2.67 લાખ કેસની સરખામણી WHOના ગ્લોબલ ડેટા સાથે કરીએ તો દુનિયામાં કોરોનાના દૈનિક કેસમાં બ્રાઝિલ બીજા નંબર પર આવે છે, જ્યાં 24 કલાકમાં 40,841 કેસ સામે આવ્યા છે. આ પછી અમેરિકા (17,984), અર્જેન્ટિના (16,350) અને કોલમ્બિયા (15,093)નો નંબર આવે છે. આ સિવાય દુનિયાના કોઈ પણ દેશમાં 15,000 કે તેનાથી વધારે કેસ નથી આવતા.

IMAનો સીએમ વિજય રૂપાણીને પત્ર, આંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવવાની કરી હિમાયત
રાજ્યોમાં સૌથી વધારે કેસ તામિલનાડુમાં

રાજ્યોની વાત કરીએ તો પાછલા 24 કલાક તામિલનાડુમાં સૌથી વધારે 33,059 કેસ નોંધાયા છે. આ પછી કેરળ અને કર્ણાટકામાં 30,000 કરતા વધારે કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ નોંધાતા હતા તે મહારાષ્ટ્ર હવે નવા કેસ મામલે ચોથા નંબર પર પહોંચ્યું છે, જ્યાં 24 કલાકમાં 28,438 નવા કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશ 21,320 કેસ સાથે 5માં નંબર પર છે, જ્યાં કોરોનાના નવા કેસ 20,000 કરતા વધારે છે. બંગાળમાં 19,428 અને ઓડિશામાં 10,321 કેસ સામે આવ્યા છે, આ સિવાય કોઈ રાજ્ય નથી કે જ્યાં 24 કલાકમાં 10,000 કે તેનાથી વધારે કેસ નોંધાયા હોય.

ગુજરાતમાં કોરોનાના નવા 6447 કેસો સામે 9557 દર્દીઓ સાજા, 67ના મોત
મૃત્યુઆંક બની રહ્યો છે ચિંતાનું કારણ

સૌથી વધારે ચિંતાની વાત ભારતમાં નોંધાઈ રહેલા મૃત્યુઆંક છે, જે ગ્રાફ નીચો નથી આવી રહ્યો. આ ચિંતા ત્યારે વધી છે કે જ્યારે નવા કેસ ઘટી રહ્યા છે છતાં મૃત્યુઆંકમાં ઘટાડો નથી નોંધાઈ રહ્યો. મંગળવારના આંકડા પ્રમાણે 11 રાજ્યોમાં કોરોનાના લીધે 100 કરતા વઘારે લોકોના જીવ ગયા છે. મે મહિનામાં કોરોનાના લીધે મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 679 લોકોના મોત થઈ ગયા છે. આ પછી કર્ણાટકામાં 525 અને તામિલનાડુમાં 364 મોત નોંધાયા છે. જ્યારે દિલ્હી, ઉત્તરપ્રદે અને પંજાબમાં ક્રમશઃ 265, 255 અને 231 લોકોના મોત થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો