એપશહેર

ગુજરાતમાં તો ઘરે-ઘરે પીવામાં આવે છે દારુઃ ગેહલોત

Mitesh Purohit | I am Gujarat 7 Oct 2019, 9:52 am
જયપુરઃ રાજસ્થાનમાં દારુબંધીને લઈને સીએમ અશોક ગેહલોતે કહ્યું કે ‘હું પોતે પણ દારુબંધીનું સમર્થન કરું છું. પરંતુ જ્યાં સુધી તેના માટે કડક કાયદા ન હોય ત્યાં સુધી આવા પ્રતિબંધનો કોઈ મતલબ રહેશે નહીં. ગેહલોતે આ માટે ગુજરાતનું ઉદાહરણ આપતા કહ્યું કે, આઝાદી બાદથી જ ગુજરાતમાં દારુબંધી લાગુ છે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે દારુની સૌથી વધુ ખપત ગુજરાતમાં થાય છે અને ઘરે-ઘરે દારુ પીવાય છે.’હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:વાત રાજસ્થાનમાં દારુ બંધીને લઈને ઘણા લાંબા સમયથી ઉઠી રહેલી માગણીને લઈને હતી. આ બાબતે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવતા તેના જવાબમાં અશોક ગેહલોતે આ પ્રકારે કહ્યું હતું. ‘વ્યક્તિગત સ્વરુપે હું દારુબંધીનું સમર્થન કરું છું. જેને એકવાર તો પ્રતિબંધિત કરવામાં આવી હતી જોકે તે દારુબંધી વિફળ રહી હતી અને પછી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો.’ગેહલોતે ગુજરાતનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘આઝાદી બાદથી ગુજરાતમાં દારુબંધી છે. પરંતુ આજે પણ ગુજરાતમાં જ સૌથી વધુ દારુ વેચાય છે. ત્યાં તો ઘરે-ઘરે દારુ પીવાય છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. તેનું કારણ છે જ્યાં સુધી દારુબંધી માટે આકરા નિયમ નહીં હોય આ પ્રકારના પ્રતિબંધનો કોઈ અર્થ સરતો નથી.’Video: ભારે પવનથી ઝાડ પડી જતા વિરોધપક્ષ નેતા ધાનાણી ખુદ પોતે ઝાડ કાપવા લાગી ગયા

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો