એપશહેર

પ્રેમીપંખીડાઓને લગ્ન માટે પોલીસે કરી મદદ, સબ-ઈન્સ્પેક્ટરે કર્યું કન્યાદાન

પોલીસકર્મીઓએ તે યુવક-યુવતીના પરિવારના સભ્યોને સમજાવ્યા કે આ બંને એકબીજા સાથે લગ્ન કરવા માગે છે. આખરે પોલીસની મદદથી આ પ્રેમીપંખીડાએ લગ્ન કર્યા.

I am Gujarat 20 Aug 2020, 5:04 pm
લખનઉ: ઉત્તરપ્રદેશમાં પોલીસ કર્મચારીઓએ માનવીય અભિગમનું વલણ દર્શાવતા પ્રેમીપંખીડાઓને વિવાહ કરવામાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવક-યુવતીના પરિવારના સભ્યો તેમના લગ્નની વાતને લઈને રાજી નહોતા ત્યારે તેઓને પોલીસકર્મીઓએ સમજાવ્યા બાદ આ પ્રેમીપંખીડાઓના લગ્ન શક્યા બન્યા. કન્યાના પિતાનું નિધન થઈ ગયું હોવાને કારણે આ વિવાહ દરમિયાન સબ-ઈન્સ્પેક્ટરે કન્યાદાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના સંત કબીરનગર જિલ્લાની હોવાનું જાણવા મળ્યું છે.
I am Gujarat q6


વાત જાણે એમ છે કે આ પ્રેમીપંખીડાઓ એકાંતમાં સાથે બેઠા હોવાનું જાણવા મળતા યુવતીના કેટલાંક સંબંધીઓએ તે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આ યુવકને બોલાવ્યો ત્યારે તેણે જણાવ્યું કે હું તે યુવતીના પ્રેમમાં છું અને તેની સાથે લગ્ન કરવા માગુ છું. પોલીસે જ્યારે તે યુવતીનું નિવેદન નોંધ્યું ત્યારે તેણે જણાવ્યું કે હું પણ તે યુવકની સાથે લગ્ન કરવા માગુ છું.

બાદમાં પોલીસકર્મીઓએ તે યુવક-યુવતીના પરિવારના સભ્યોને સમજાવ્યા કે આ બંને એકબીજા સાથે લગ્ન કરવા માગે છે. આ યુવક-યુવતીના લગ્ન દરમિયાન સબ-ઈન્સ્પેક્ટરે કન્યાદાનની વિધિ કરી. કારણકે આ યુવતીના માતા દેખી શકતા નથી અને તેની કુલ 6 બહેનો છે. આ યુવક-યુવતી એકસાથે અભ્યાસ કરતા હતા અને પ્રેમમાં પડ્યા હતા. પણ, તેમના પરિવારના સભ્યો તેઓના લગ્નની વિરુદ્ધ હતા.

પોલીસે આ વિશે વધુ વાત કરતા જણાવ્યું કે અમે જ્યારે તે યુવકને બોલાવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે જો તેના આ યુવતી સાથે લગ્ન નહીં થાય તો તે આત્મહત્યા કરશે. આખરે પોલીસની મદદથી આ પ્રેમીપંખીડાએ મંદિરમાં લગ્ન કર્યા.

Read Next Story