ભોપાલઃ જબલપુરમાં એક યુવકે હજારો લોકોને કોરોના વાયરસના ખતરામાં નાખનારાની ગાયિકા કનિકા કપૂર જેવા લોકોને અરીસો બતાવ્યો છે. વિદેશથી આવેલા આ યુવક ભરેલા જવાબદાર પગલાના કારણે ઘણાં લોકો કોરના વાયરસનો ચેપ લાગતા બચ્યા છે. આ સાથે તે પોતે પણ બીમારી સામે મજબૂત બનીને જંગ લડી રહ્યો છે.કોરોના સામે લડી રહેલા યુવકે વીડિયો મેસેજમાં પોતાની આપવીતી જણાવી છે. મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી યુવકે જણાવ્યું કે આ બીમારી દરમિયાન આખરે થાય છે શું, જેની સામે લડવાથી સમજદારીથી બચી શકાય છે.જબલપુરની મેડિકલ કૉલેજમાં ભર્તી ઉપનિષદ શર્માએ એક વિડીયો સંદેશ આપ્યો છે. તેમાં એ વાત જણાવવામાં આવે છે કે તે 16 જાન્યુઆરીએ ભારત આવ્યો હતો, અને તેણે પોતાને આઈસોલેટ કરી દીધો હતો. થોડા દિવસો પછી તેને તાવ આવ્યો અને તેણે ડૉક્ટરને જાણ કરી.
લૉકડાઉન વચ્ચે વરાણસીના લોકો સાથે PM નરેન્દ્ર મોદીએ કરી વાતચીત ઉપનિષદ જણાવે છે કે, “ભારતમાં 16 તારીખે આવ્યા પછી જબલપુરમાં જ પોતાને 3 દિવસ માટે આઈસોલેટ કર્યો હતો. જે સરકારનો નિર્દેશ પણ છે. આ પછી મને જેવો તાવ આવ્યો મેં તાત્કાલિક ડૉક્ટરને જાણ કરી. તેમણે ઘરે આવીને મને જોયો. તેઓ મને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં મારી તપાસ ચાલી.” ઉપનિષદ જણાવે છે કે 20 માર્ચ મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ત્યારથી તેની જબલપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ગાયિકા કનિકા કપૂર પણ વિદેશથી પરત ફરી હતી, પણ તેણે પોતાને આઈસોલેટ ન કરી અને પાર્ટીઓ કરી હતી અને પછી ઘણાં લોકોને કોરોના થવાનો ખતરો ઉભો થયો હતો.હોસ્પિટલની અંદરની સ્થિતિ જણાવીને ઉપનિષદ કહે છે કે, આ બીમારીથી ડરવાની જરુર નથી. તેઓ કહે છે કે, “આ બીમારી પછી ઘણાં લોકો સ્વસ્થ થયા છે. બસ તમને તાવ રહેશે અને શરદી ખાંસી રહેશે. દવા લેવા પર તમે સ્વસ્થ થઈ જશો.”હોસ્પિટલથી ઉપનિષદે લોકોને સંદેશ પણ મોકલ્યો. તેમણે કહ્યું કે, જો તમે વિદેશથી આવ્યા છો તો પરિવારથી અંતર રાખો. પોતાના હાથ વારંવાર ધોતા રહો. મોઢાને ઢાંકીને રાખો અને સારું ખાવ. આ સાથે વાધારે શરદી-ખાંસી હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ.