એપશહેર

કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાના વિવાદ અંગે સ્વાસ્થ્ય મંત્રીએ કરી સ્પષ્ટતા

કેન્દ્ર સરકાર દ્વારા કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેના અંતરને 6-8 સપ્તાહથી વધારીને 12થી 16 સપ્તાહ કરી દીધા છે

I am Gujarat 16 Jun 2021, 7:10 pm
કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની વેક્સીન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવામાં આવતા વિવાદ થયો હતો. જેને લઈને હવે સરકાર દ્વારા તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના સમયને 6-8 સપ્તાહથી વધારીને 12થી 16 સપ્તાહ કરવાનો નિર્ણય વૈજ્ઞાનિક તથ્યોના આધાર પર લેવાયો છે.
I am Gujarat covishield4


સરકારે 13મે એ કહ્યું હતું કે, તેણે કોવિડ-19 વર્કિંગ ગ્રૂપની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આ નિર્ણય લીધો છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ના ચેરમેન એનકે અરોરાએ પણ મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક તથ્યોના આધાર પર લેવાયો હતો અને તે સંપૂર્ણ રીતે પારદર્શી છે.
મુંબઈના કાંદિવલીમાં ₹1400માં સોસાયટીના 400 લોકોએ રસી લીધી, સર્ટિફિકેટ જોઈને ડઘાયાઅરોરાએ કહ્યું હતું કે, કોવિડ-19 વર્કિંગ ગ્રૂપની બેઠક દરમિયાન આ નિર્ણયને લઈને કોઈ મતભેદ ન હતા અને સર્વસંમતિથી આ ભલામણ કરવામાં આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક ટ્વિટમાં આ જાણકારી આપી છે. સરકારે વર્કિંગ ગ્રૂપની ભલામણોનો સ્વીકાર કરતા તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી. જેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી અને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવતી વેક્સીન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના સમયને વધારીને 12થી 16 સપ્તાહ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક આંકડાના આધાર પર પારદર્શી રીતે લેવામાં આવ્યો છે. ભારતમાં આવા હેલ્થ ડેટાના આકલનનું શ્રેષ્ઠ તંત્ર છે. આ ઘણું કમનસીબી ભરેલું છે કે આવા મામલા અંગે પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે.
હવે દેશમાં જોવા મળ્યો ગ્રીન ફંગસનો ચેપ, આ રાજ્યમાં નોંધાયો પ્રથમ કેસમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રિયલ લાઈફ એવિડન્સની ઉપલબ્ધતાના આધારે, ખાસ કરીને બ્રિટનથી મળેલા તથ્યોના આધારે કોવિડ-19 વર્કિંગ ગ્રૂપે બે ડોઝ વચ્ચેના સમયને વધારવા અંગે સહમતી વ્યક્ત કરી હતી. જોકે, ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળાને વધારવામાં આવ્યો ન હતો.

Read Next Story