એપશહેર

Covid-19: નિષ્ણાંતોએ કહ્યું 2021ના અંત પહેલા કોરોનાની વેક્સીન નહીં આવે

નિષ્ણાંતો કહે છે કોરોના એમ જ પીછો નહીં છોડે હજુ ભલે ગમે તેટલા દાવા કરવામાં આવે સામાન્ય વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચતા હજુ 1 વર્ષ લાગી જશે.

Authored byRupali Mukherjee | Edited byMitesh Purohit | TNN 16 Sep 2020, 6:04 pm
મુંબઈઃ આ સમાચાર એવા લોકો માટે એક ઝટકા સમાન છે જેઓ આશા રાખીને બેઠા છે કે આ વર્ષના અંત અથવા આવતા વર્ષ 2021ની શરુઆતમાં કોરોના વેક્સીન આવી જશે અને બધુ ફરી પહેલા જેવું થઈ જશે. સામૂહિક રસીકરણ કે જે અંતર્ગત દેશની સામાન્ય વસ્તીના મોટા સમૂહ (ઉચ્ચ જોખમ ધરાવતા નબળા જૂથો સિવાય) સુધી રસી 2021ના બીજા છમાસિક ગાળામાં જ પહોંચવી શક્ય છે. સરકારી કાર્યક્રમ મારફતે દેશની 1.3 અબજની સંપૂર્ણ વસ્તીના રસીકરણ કરાવવા માટે ઓછામાં ઓછા 18થી 24 મહિના લાગી શકે છે. એમ નિષ્ણાતોએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું.
I am Gujarat corona vaccine shots will reach most only in late 2021 say experts
Covid-19: નિષ્ણાંતોએ કહ્યું 2021ના અંત પહેલા કોરોનાની વેક્સીન નહીં આવે


આ પણ એના આધારે માનવામાં આવી રહ્યું છે કે 2021ના પહેલા ત્રીમાસિક ગાળામાં તમામ તબક્કાઓ પસાર કરીને કોરોનાની રસી આવી જશે. પરંતુ મોટા ભાગના નિષ્ણાંતો માની રહ્યા છે કે કોરોના વેક્સીનની લોન્ચિંગ ડેટ હજુ પણ આગળ વધી શકે છે.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ કે. શ્રીનાથ રેડ્ડીએ કહ્યું કે 'ભારતમાં દરેકને કોરોના વક્સીન ક્યારે મળશે તે વાત એના પર આધાર રાખે છે કે સંપૂર્ણ સુરક્ષિત કોરોના વેક્સીન ક્યારે લોન્ચ થશે. આ લોન્ચ થયા બાદ ઓછામાં ઓછો દોઢ વર્ષનો સમય લાગશે દરેક નાગરિક સુધી વેક્સીનને પહોંચતા.' તેમાં પણ સૌથી પહેલા આ વેક્સીન એસેન્સિયલ સર્વિસીસ અને હાઈ રિસ્કમાં રહેલા ડોક્ટર અને અન્ય લોકોને મળશે. સામાન્ય લોકોને તો આ વેક્સીન તેના માર્કેટમાં આવ્યા બાદ 6 મહિના પછી જ મળશે.

વેક્સીન લોન્ચ થયા બાદ પહેલા તબક્કામાં દેશમાં સૌથી વધુ કોરોનાનું જોખમ ધરાવતા હેલ્થકેર વર્કર્સ, 65 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો, સંરક્ષણ, રેલવે, રોડ, એર ટ્રાન્સપોર્ટ સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા આવશ્યક સર્વિસ સેક્ટરમાં કામ કરતા લોકો અને આર્થિક પછાત વર્ગના લોકોને આપવામાં આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના ભૂતપૂર્વ ડીજી એનકે ગાંગૂલીએ આટલું જણાવ્યા બાદ વધુમાં કહ્યું કે વેક્સીનના પ્રથમ બે ડોઝ માટે ફ્રન્ટ લાઈન પર તેના વિતરણને મેનેજ કરવું ખૂબ જ અઘરું થઈ પડશે.

આ ઉપરાંત ભારત જેવા દેશમાં રસીના વિતરણ માટે બીજા પણ ફેક્ટર ખૂબ જ ચેલેન્જિંગ સાબિત થશે જેમ કે નબળી હેલ્થકેર સિસ્ટમ, આ ઉપરાંત રસીના ઉત્પાદનથી લઈને તેના મેળવવા અને વિતરણ કરવા સુધીની વ્યવસ્થા, તેમજ સૌથી મહત્વનું છેવાડા સુધી રસી આપવા માટે ટ્રેઇન્ડ મેન પાવરનું હોવું. હાલમાં જ 14 સપ્ટેમ્બરના રોજ દુનિયાના સૌથી મોટા વેક્સીન ઉત્પાદનક સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઈઓ આદર પુનાવાલાએ કહ્યું હતું કે આખી દુનિયાના તમામ લોકોને કોરોના વેક્સીન આપવામાં આશરે 4-5 વર્ષ જેટલો સમય લાગી શકે છે.
લેખક વિશે
Rupali Mukherjee
A business journalist with around two decades of experience tracking key consumer-focussed sectors like consumer durables, retail, consumer goods, aviation, automobiles and advertising, as well as economic ministries of the Union government. Now, writes primarily on pharmaceuticals and healthcare, and on issues of consumer interest. Besides also looks at trends that are shaping consumer behaviour and the broad consumer landscape. \nYou can follow Rupali on Twitter@Rupalijee.... વધુ વાંચો

Read Next Story