એપશહેર

ધારાવીની ઝૂંપડપટ્ટીમાં કોરોના બેકાબૂ, એક દિવસમાં 34 નવા કેસ સાથે 275 લોકો પોઝિટિવ

નવરંગ સેન | TNN 27 Apr 2020, 8:30 am
વિજય વી. સિંઘ, મુંબઈ: શહેરની અતિગીચ એવી ધારાવીની ઝૂંપડપટ્ટીમાં કોરોના કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે અહીં 34 નવા કેસ નોંધાયા હતા. ધારાવીમાં અત્યારસુધી 275 કોરોના પોઝિટિવ દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 14 લોકોનાં મોત થયાં છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોધારાવીમાં કોરોનાના દર્દીઓને ટ્રેક કરવા માટે 26 ડોક્ટરોને તૈનાત કરાયા છે. 2.1 ચોરસ કિમીમાં ફેલાયેલી ધારાવીમાં સાત લાખથી વધુ લોકો રહે છે, જેના પાંચ પોકેટ્સમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. ધારાવીમાં પ્રેક્ટિસ કરતાં 350 જેટલા ખાનગી ડોક્ટરોને પણ પોતાના ક્લિનિક ફરી શરુ કરવા કહેવાયું છે, અને કોરોનાનો કોઈપણ શકમંદ ધ્યાને આવે તો બીએમસીને જાણ કરવા જણાવાયું છે.1 એપ્રિલે ધારાવીમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. આ ઝૂંપડપટ્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું લગભગ અશક્ય છે. અત્યંત ચેપી વાયરસ ધારાવી સુધી પહોંચી જતાં સત્તાધીશો ચિંતામાં મૂકાઈ ગયા હતા, અને કોરોના વધુ પ્રસરે નહીં તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી હતી. ધારાવીમાંથી અનેક લોકોને સરકારી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રખાયા છે,અત્યારસુધીમાં ધારાવીમાં હજારો લોકોનું સ્ક્રિનિંગ થઈ ચૂક્યું છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પણ ખૂબ જ ગરીબ છે. લોકડાઉનને કારણે તેઓ બેરોજગાર બની ચૂક્યા છે. તંત્ર દ્વારા ઘણા લોકોને જમવાની વ્યવસ્થા ઉપરાંત રાશન પણ પહોંચાડાઈ રહ્યું છે, પરંતુ આવક બંધ થઈ જતાં અહીંના લોકો માટે મકાનના ભાડાં ભરવા ઉપરાંત અન્ય ખર્ચા કાઢવા હવે મુશ્કેલ બની રહ્યા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story