નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા આંકડા સામે આવ્યા છે જે ચિંતા વધારનારા છે. ભારતમાં એક દિવસમાં 9000 કરતા પણ વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 2,16,919 થઈ ગયો છે. જ્યારે મૃત્યુઆંકમાં 6000નો આંકડો પાર થઈ ગયો છે. આ સાથે ભારત દુનિયામાં કોરોના કેસમાં 7 નંબરનો દેશ બન્યો છે. આ પહેલા અમેરિકા, બ્રાઝિલ, રશિયા, યુકે, સ્પેન અને ઈટલીનો સમાવેશ થાય છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા એક દિવસના નવા આંકડા પ્રમાણે 9,304 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 2,16,919 થઈ ગયો છે જ્યારે વધુ 260ના મોત સાથે કુલ આંકડો 6075 થઈ ગયો છે. વધુમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં એક્ટિવ કોરોના કેસનો આંકડો 1,06,737 છે જ્યારે 1,04,106 લોકો સ્વસ્થ્ય થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓનો રિકવરી રેટ 47.99 થયો છે.”હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: બુધવાર સવારથી 260ના મોત નોંધાયા છે, જેમાંથી 122 મહારાષ્ટ્ર, 50 દિલ્હી, 30 ગુજરાત, 11 તામિલનાડુ, 10 પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ-ઉત્તરપ્રદેશ અને તેલંગાણામાં 7-7, રાજસ્થાનમાં 6, આંધ્રપ્રદેશમાં 4, છત્તિસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટકા, પંજાબ અને ઉત્તરાખંડમાં 1-1નાં કોવિડ-19ના લીધે મોત થયા છે.અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,587 લોકોના મોત થયા છે, જ્યારે ગુજરાતમાં 1,122, મધ્યપ્રદેશમાં 371, પશ્ચિમ બંગાળમાં 345, ઉત્તરપ્રદેશમાં 229, રાજસ્થાનમાં 209, તામિલનાડુમાં 208, તેલંગાણામાં 99 અને આંધ્રપ્રદેશમાં 68 લોકોના કોરોના વાયરસના લીધે મોત થયા છે.આ તરફ કર્ણાટકમાં 53, પંજાબમાં 47, જમ્મુ-કાશ્મીરમાં 34, બિહારમાં 25, હરિયાણામાં 23, કેરળમાં 11 અને ઉત્તરાખંડમાં 8 તથા ઓડિશામાં 7 લોકોના મોત થયા છે.ભારતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ પણ મહારાષ્ટ્રમાં અને તે 74,860 છે, જ્યારે તામિલનાડુમાં 25,872, દિલ્હીમાં 23,645, ગુજરાતમાં 18,100, રાજસ્થાનમાં 9,652, મધ્યપ્રદેશમાં 8,588 અને ઉત્તરપ્રદેશમાં 8,729 છે.આ સિવાય દેશના અન્ય ભાગો પર નજર કરીએ તો પશ્ચિમ બંગાળમાં 6,508, બિહારમાં 4,390, આંધ્રપ્રદેશમાં 4,080, કર્ણાટકામાં 4,063, તેલંગાણામાં 3,020, હરિયાણામાં 2,954, જમ્મુ-કાશ્મીરમાં 2,857 અને ઓડિશામાં 2,388 લોકોના મોત થયા છે.જ્યારે પંજાબમાં 2,376, આસામમાં 1,672 કેસ થયા છે. કેરળમાં 1,494 અને ઉત્તરાખંડમાં 1,085 લોકો કોરોના વાયરસ પોઝિટિવ થયા છે.તો ઝારખંડમાં 752, છત્તીસગઢમાં 668, ત્રિપુરામાં 468, હિમાચલ પ્રદેશમાં 356, છત્તીસગઢમાં 301, મણીપુરમાં 118, લદ્દાખમાં 90 અને પોંડિચેરીમાં 82 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.