એપશહેર

કોરોના સામે જંગ: ઈઝરાયલ પોતાની ટીમને ભારત મોકલશે

ઈઝરાયલની એક એક્સપર્ટ ટીમ ખાસ વિમાન દ્વારા ભારત આવશે અને ભારત-ઈઝરાયલ એન્ટી-કોવિડ-19 કો-ઓપરેશન ચલાવાશે.

Agencies 23 Jul 2020, 10:23 pm
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામં તપાસને મોટા સ્તર પર લઈ જવાની જરૂર અનુભવાઈ રહી છે. એ જ કારણ છે કે, ઓછામાં ઓછા સમયમાં ટેસ્ટના પરિણામ આપનારા ઉપકરણો બનાવવા પર રિસર્ચ ચાલી રહ્યું છે. ભારતમાં 30 સેકન્ડમાં રિઝલ્ટ આપતી રેપિડ ટેસ્ટિંગ કિટ બનાવવા પર કામ થઈ રહ્યું છે, જેમાં ઈઝરાયલની એક એક્સપર્ટ ટીમ સહકાર આપી રહી છે. આ એક્સપર્ટ ટીમ હવે ભારત આવી રહી છે. ઈઝરાયલની એમ્બેસીએ તેની જાણકારી આપી છે.
I am Gujarat Covid 19 kit
કોરોનાની ટેસ્ટિંગ કિટની પ્રતિકાત્મક તસવીર


ઈઝરાયલની એમ્બેસી તરફથી સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આવનારા સપ્તાહમાં ઈઝરાયલના વિદેશ, સંરક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રાલયોના નેતૃત્વમાં ભારત-ઈઝરાયલ એન્ટી-કોવિડ-19 કો-ઓપરેશન ચલાવાશે. ઈઝરાયલનું સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ શ્રેણીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ તેલ અવીવથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા નવી દિલ્હી પહોંચશે.

આ ટીમ ભારતના ચીફ સાયન્ટિસ્ટ સલાહકાર કે. વિજયરાઘવન અને સંરક્ષણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની સાથે રેપિડ ટેસ્ટિંગ કિટ વિકસિત કરવા પર કામ કરી રહી છે. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ભારતના વિકાસ તેમજ ઉત્પાદન ક્ષમતાઓ સાથે ઈઝરાયલની ટેકનોલોજીની ભાગીદારીથી કોવિડ-19 મહામારીની વચ્ચે સામાન્ય જનજીવનને પાટા પર લાવવામાં મદદ કરશે.

ટીમને લાવી રહેલી સ્પેશિયલ ફ્લાઈટમાં કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે નવી ઉભરતી ઈઝરાયેલની ટેકનોલોજી પણ ભારતમાં લાવશે, જે ઈઝરાયલના વિદેશ મંત્રાલય અને ત્યાંની પ્રાઈવેટ સેક્ટર કંપનીઓ તરફથી ભારતને ગિફ્ટ હશે. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, 'આખરે, પ્લેનથી મિકેનિકલ વેન્ટિલેટર્સની ડિલિવરી થશે. ઈઝરાયલની સરકારે તે ભારતમાં નિકાસ કરવાની વિશેષ મંજૂરી આપી છે.'

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઈઝરાયલની વચ્ચે સ્ટ્રેટેજિક સંબધોમાં મજબૂતી આવી છે. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ભારત અને ઈઝરાયલના વડાપ્રધાનોએ એકબીજાને ત્યાં ઐતિહાસિક પ્રવાસ કર્યો. કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયા બાદથી અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ત્રણ વખત ટેલિફોન પર વાતચીત થઈ ચૂકી છે. સ્ટેટમેન્ટ કહે છે કે, બંને વડાપ્રધાનોની વાતચીતમાં કોવિડ-19 મહામારી સામે સંયુક્ત લડાઈ માટે ટેકનોલોજી અને વૈજ્ઞાનિક રિસર્ચના સ્તર પર પરસ્પર તાલમેલ પર સંમતિ ઊભી થઈ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો