એપશહેર

લોકડાઉનમાં મળી વધુ છૂટછાટઃ 8 જૂનથી ખુલશે ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટો અને મોલ

ચિંતન રામી | I am Gujarat 30 May 2020, 7:21 pm
નવી દિલ્હીઃ કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે ચાલી રહેલા દેશવ્યાપી લોકડાઉનનો ચોથો તબક્કો પૂરો થવામાં એક દિવસ બાકી છે. જેમાં શનિવારે કેન્દ્ર સરકારે હવે લોકડાઉનને વધાર્યું છે પરંતુ લોકડાઉન-5મા વધારે છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકડાઉન 5.0ની ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોનવી ગાઈડલાઈન્સ પ્રમાણે કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે પરંતુ હાલમાં તો સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ઘણી છૂટછાટ આપવામાં આવી છે. આ ગાઈડલાઈન્સ 1 જૂનથી 30 જૂન સુધી જારી રહેશે.રાત્રી કર્ફ્યુ જારી રહેશેગાઈડલાઈન્સ પ્રમાણે રાત્રી કર્ફ્યુ જારી રહેશે અને જરૂરી ચીજવસ્તુઓ માટે કોઈ કર્ફ્યુ નહીં હોય. હવે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. હાલમાં આ કર્ફ્યુ રાત્રે 7થી સવારે 7 વાગ્યા સુધી છે. સ્કૂલ-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ ક્યારે ખોલવામાં આવશે તેનો નિર્ણય સરકાર પછીથી જાહેર કરશે.ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરીમંદિર-મસ્જિદ સહિત ધાર્મિક સ્થળો 8 જૂનથી ખોલવામાં આવશે. ઘણા રાજ્યો ઈચ્છતા હતા કે મોલ પણ ખોલવાની મંજૂરી આપવામાં આવે તો તેમને પણ તબક્કાવાર ખોલવામાં આવશે. સ્કૂલ-કોલેજોને બીજા તબક્કામાં ખોલી શકાય છે. 8 જૂનથી રેસ્ટોરન્ટો અને હોટલો ખૂલી જશે. જોકે, તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજીયાત કરવું પડશે. આ ઉપરાંત માસ્ક પણ ફરજીયાત રહેશે.એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની સંપૂર્ણ છૂટએક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા અંગેનો પ્રતિબંધ સંપૂર્ણ પણે ઉઠાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. હવે ક્યાંય આવવા-જવા માટે કોઈની મંજૂરી લેવાની જરૂર પડશે નહીં.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો