એપશહેર

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યએ લીધો મોટો નિર્ણય, 30 નવેમ્બર સુધી વધાર્યું લોકડાઉન

દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, જેનું કારણ લોકો દ્વારા માર્ગદર્શિકાનું પાલન કરવાનું છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે પરિસ્થિતિઓને જોતા લોકડાઉન 30 નવેમ્બર સુધી વધાર્યું છે.

I am Gujarat 30 Oct 2020, 9:46 am
મુંબઈ: કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રમાં (Coronavirus Latest News Maharashtra) પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન્સ (Covid-19 Guidelines) પર નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) 30 નવેમ્બર સુધી ફરીથી લોકડાઉન (Lockdown in Maharashtra News) વધાર્યું છે. ગુરુવારે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
I am Gujarat 4
મહારાષ્ટ્ર સરકારે 30 નવેમ્બર સુધી લોકડાઉન વધાર્યું


કોવિડ-19નો ફેલાવો અટકાવવાના પ્રયાસરૂપે મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનમાં અને સ્ટેશન પર માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલવા માટે સરકારી રેલવે પોલીસ (GRP)ને નિર્દેશ આપ્યો છે. ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના નિયામક અભય યાવલકરે જીઆરપી કમિશનર રવિન્દ્ર શેનગાંવકરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગ્રેટર મુંબઈ નગર નિગમ (MCGM) દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ અથવા તે પછીના મ્યુનિસિપલ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ દંડ લાદવો જોઈએ. એમસીજીએમ હાલમાં જાહેર સ્થળોએ માસ્ક પહેર્યા વિના લોકોને 200 રૂપિયા દંડ ફટકારે છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા આંકડાએ રાજ્યની તેમજ કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. રાજ્યમાં કોરોનાના નવા 6738 કેસો સાથે બુધવારે કુલ કેસોની સંખ્યા 16,60,766 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ 1,30,286 એક્ટિવ કેસ છે. બુધવારે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાથી વધુ 91 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હવે મૃતકોની સંખ્યા 43,554 પર પહોંચી ગઈ છે.

'પ્રોટોકોલનું પાલન થાય તે જરૂરી'
યાવલકરે પત્રમાં કહ્યું, 'રાજ્ય સરકાર સરકારી રેલવે પોલીસને લોકલ ટ્રેનો અથવા સ્ટેશન પરિસરમાં માસ્ક પહેર્યા વિના લોકોને દંડ ફટકારવા માટે સત્તા આપે છે.' પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે મુસાફરો સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરે તે જરૂરી છે. શેનગાંવકરે કહ્યું કે બુધવારે સાંજે તેમને પત્ર મળ્યો છે અને એમસીજીએમ સાથે મળીને અમે આ સૂચનાનો અમલ કરીશું.

બાર-રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે 5 ઓક્ટોબરથી રાજ્યભરમાં બાર અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી પણ આપી દીધી હતી. ત્યારબાદ બાર અને રેસ્ટોરન્ટમાં 50 ટકા ક્ષમતા સાથે કામ શરૂ કરાયું હતું. રાજ્યમાં રોગચાળાને ધ્યાનમાં રાખીને હાલમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. બીજી તરફ ઉદ્ધવ સરકારે મંગળવારે મધ્ય રેલવે તેમજ પશ્ચિમ રેલવેને એક પત્ર લખીને સ્થાનિક ટ્રેનો શરૂ કરવાની જણાવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો