એપશહેર

હોસ્પિટલમાં કોરોનાના દર્દીને પાન-મસાલા ખાવાની ઈચ્છા થઈ, ભર્યું આ પગલું

TNN 14 Jul 2020, 3:51 pm

કોરોના વાયરસ સંક્રમિત દર્દી જ્યાં સુધી આઈસોલેશન વોર્ડમાં હોય ત્યાં સુધી તેને બહારની કોઈપણ વસ્તુ ખાવા માટેની પરવાનગી નથી મળતી. ઉત્તરપ્રદેશના આગ્રામાં કોરોના વાયરસના દર્દીને પાન મસાલા ખાવા માટેની એટલી ઈચ્છા થઈ કે તે આઈસોલેશન વોર્ડમાંથી બહાર ભાગી ગયો. કોરોનાનો દર્દી આઈસોલેશન વોર્ડમાંથી ભાગીને પાનના ગલ્લા પર ગયો અને પછી એક દોસ્તના ઘરની પણ મુલાકાત લીધી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કોરોનાના દર્દીને ઉત્તરપ્રદેશના આગ્રાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે આઈસોલેશન વોર્ડમાંથી ભાગીને પાનના ગલ્લે ગયો અને પછી એક મિત્રના ઘરે ગયો. હવે તે મિત્ર અને તેના પરિવારને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ દર્દીએ જણાવ્યું કે તે પાન-મસાલા ખાવા માટે દૂર ગયો હતો કારણકે હોસ્પિટલની આસપાસના કોઈ પાનના ગલ્લા ખુલ્લા નહોતા. આ દર્દીએ તેના ખિસ્સામાં પણ પાન-મસાલા સંતાડ્યા હતા.

પાન-મસાલાના ગલ્લા પરથી જ્યારે આ કોરોનાનો દર્દી તેના મિત્રના ઘરે ગયો ત્યારે તેના મિત્ર અને પરિવારને એ વાતની જાણ નહોતી કે તેમના ઘરે આવેલો આ યુવક કોરોના પોઝિટિવ છે. હવે કોરોનાના દર્દીના મિત્ર અને તેના સમગ્ર પરિવારને પણ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરાયો છે. પાન-મસાલા ખાવા માટે હોસ્પિટલમાં ભાગી ગયેલા આ દર્દીને પકડી લેવામાં આવ્યો છે અને ફરી પાછો આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલુ છે.

I am Gujarat coronavirus patient wanted pan masala so bad that he escaped quarantine
હોસ્પિટલમાં કોરોનાના દર્દીને પાન-મસાલા ખાવાની ઈચ્છા થઈ, ભર્યું આ પગલું


સુરતમાં હીરા-કાપડ યુનિટ શરૂ થતા મ્યુનિ. કમિશનરે આપી ચેતવણી, નિયમ ભંગ થયા તો…

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો