એપશહેર

PM મોદી પર 'વિંછી'વાળી કૉમેન્ટ કરી ફસાયા શશિ થરૂર, ભરવો પડશે આટલો દંડ

Shailesh Thakkar | Agencies 15 Feb 2020, 9:35 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિતપણે ‘વિંઝી’વાળી કૉમેન્ટના સંદર્ભમાં નોંધાયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર પર 5 હજાર રૂપિયાનો દંડ લાગ્યો હતો. દિલ્હીની એક કોર્ટ થરૂર પર આ દંડ સુનવણી દરમિયાન ગેરહાજર રહેવાને કારણે લગાવ્યો. એડિશિનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પાહુજાએ કોર્ટના નિર્દેશ છતાં થરૂરના ગેરહાજર રહેવા પર આ દંડ લગાવ્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:કોર્ટ દિલ્હી ભાજપ નેતા રાજીવ બબ્બર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર સુનવણી કરી રહી હતી જેમણે દાવો કર્યો હતો કે તેમની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. બબ્બરે ફરિયાદમાં કહ્યું હતું કે, ‘હું ભગવાન શિવનો ભક્ત છું… પણ આરોપી (થરૂર)એ કરોડો શિવભક્તોની ભાવનાનો અનાદર કર્યો અને એવું નિવેદન આપ્યું જેનાથી દેશ-વિદેશમાં શિવભક્તોની લાગણી દુભાઈ છે.’વકીલ નીરજની મારફતે નોંધાવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ‘ફરિયાદીની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને આરોપીએ દુર્ભાવના સાથે જાણી-જોઈને આવું કર્યું, તેનો હેતુ શિવભક્તોના ધાર્મિક વિશ્વાસનું અપમાન કરી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હતો.’ બીજી તરફ થરૂરે દાવો કર્યો કે, એક અજ્ઞાત RSS નેતાએ મોદીની તુલના શિવલિંગ પર બેઠેલા એક વિંછી સાથે કરી હતી.શશિ થરૂરે કહી હતી આ વાતોપોતાના લેખન અને પુસ્તકો અંગે 2018માં બેંગલુરુ સાહિત્ય મહોત્સવમાં ભાગ લેવા ગયેલા શશિ થરૂરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ‘એક અસાધારણ રૂપક છે જેનો ઉલ્લેખ RSSના અનામ સૂત્રે એક જર્નલિસ્ટને કર્યો હતો. મેં તેનો સંદર્ભ મારા પુસ્તકમાં આપ્યો છે.’ થરૂરે કહ્યું કે, ‘તેણે કહ્યું હતું કે, મોદી શિવલિંગ પર બેઠેલા તે વિંછી જેવા છે, જેને તમે હાથથી હટાવી નથી શકતા અને ચપ્પલથી મારી નથી શકતા.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો