એપશહેર

બિસાહડા કાંડ: ગૌહત્યા મામલે કોર્ટે આપ્યો ઈખલાકના પરિવાર સામે ફરિયાદ નોંધવા આદેશ

I am Gujarat 14 Jul 2016, 7:36 pm
શ્યામ ચાવડા, ગ્રેટર નોઈડા: બહુચર્ચિત બિસાહડા મામલામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોલીસને ગૌહત્યાના આરોપમાં ભીડ દ્વારા મારી નંખાયેલા ઈખલાકના પરિવારના 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદેશ આપ્યો છે. ફરિયાદની માંગને લઈને બિસાહડાના સૂરજપાલે કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે તેને ગંભીર ગુનો જણાવતા જારચા પોલીસને સંબંધિત કલમો અંતર્ગત ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. તો ઈખલાકના પરિવારના વકીલે કહ્યું કે, આ આદેશને ઉપલી કોર્ટમાં પડકારશે.
I am Gujarat court orders fir for cow slaughter against family of akhlaq who was lynched in dadr
બિસાહડા કાંડ: ગૌહત્યા મામલે કોર્ટે આપ્યો ઈખલાકના પરિવાર સામે ફરિયાદ નોંધવા આદેશ


ઉત્તર પ્રદેશના બિસાહડામાં 28મી સપ્ટેમ્બ, 2015ને ગૌહત્યાની શંકામાં ઈખલાકની ગડદા-પાટુનો માર મારી હત્યા કરી દેવાઈ હતી. આ મામલે 18 લોકોને આરોપી બનાવાયા છે. 16 જેલમાં બંધ છે, જ્યારે બે સગીરો જામીન પર મુક્ત થઈ ગયા છે. બીજી તરફ માંસનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ગામના સૂરજપાલે જારવા પોલીસ સ્ટેશનમાં ઈખલાકના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી હતી. રિપોર્ટ ન નોધાતા 6 જૂને ડિસ્ટ્રિક્ટ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

સૂરજપાલના વકીલ રાજીવ ત્યાગીએ જણાવ્યું કે, કોર્ટે ગુરુવારે ફેંસલો સંભળાવ્યો. ફેંસલામાં કહેવાયું છે કે, જારચા પોલીસ સંબંધિત કલમો અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ કરે અને કોર્ટને જાણ કરે. તેમણે જણાવ્યું કે, ઈખલાક, તેમના ભાઈ જાન મોહમ્મદ, માતા અસગરી, પત્ની ઈકરામન, પુત્ર દાનિશ, પુત્રી શાઈસ્તા અને મોટી દીકરી સોના, તેના પતિ જફરૂદ્દીનને આરોપી બનાવાયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો