એપશહેર

ભારતમાં કોરોના વેક્સીનનો ડોઝ પહેલા હેલ્થ વર્કર્સને? અંતિમ નિર્ણય લેવાનો બાકી

કોરોના વેક્સીનને લઈને અંતિમ સ્ટેજ પર કામગીરી ચાલી રહી છે, આવામાં દેશમાં કોરોના વાયરસની રસી કોને મળશે તેના પર ચર્ચા-વિચારણા શરુ થઈ ગઈ છે. આ અંગે કેટલીક પ્રાથમિકતા અંગે સંકેત આપવામાં આવ્યા છે.

TNN 31 Jul 2020, 9:33 am
દુર્ગેશ નંદન ઝા, નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી (Covid-19 vaccine) તૈયાર થયા બાદ પહેલા કોને મળશે? આ અંગે સરકારમાં પણ ચર્ચા વિચારણા શરુ થઈ ગઈ છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભૂષણે ગુરુવારે જણાવ્યું કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો. પરંતુ તેમણે ઈશારો કર્યો કે પ્રાથમિકતા હેલ્થ વર્કર્સને મળી શકે છે. ભૂષણે કહ્યું કે સરકારની બહાર આ વાત પર સહમતી બની રહી છે કે હેલ્થકેર વર્કર્સનો આ અંગે દાવો સૌથી પહેલા છે. તેમણે કહ્યું, "તેનાથી એ પણ દેખાશે કે સમાજ અને દેશએ કામની પ્રશંસા કરે છે જે આ ફ્રન્ટલાઈન હેલ્થ વર્ક્સે કર્યું છે અને તેનાથી હેલ્થવર્કર્સની શોર્ટેજ પણ નહીં થાય."
I am Gujarat covid 19 coronavirus vaccine india frontier health workers most probable candidates
ભારતમાં કોરોના વેક્સીનનો ડોઝ પહેલા હેલ્થ વર્કર્સને? અંતિમ નિર્ણય લેવાનો બાકી


હેલ્થ વર્કર્સ પછી કોને મળશે વેક્સીન

વેક્સીન બન્યા પછી હેલ્થ વર્ક્સને તેનો સૌથી પહેલા લાભ મળે તેના પર સામાન્ય સમજૂતી બની રહી છે. પરંતુ હેલ્થ સેક્રેટરીએ કહ્યું કે કોઈ કોઈ પ્રોપર્ટી લિસ્ટ નથી બન્યું. જોકે, આવું કોઈ લિસ્ટ બને છે તો તેમાં બીજો નંબર કોણ આવશે? આ સવાલ અંગે ભૂષણે કહ્યું કે ઘરડા અને અન્ય બીમાર દર્દીઓ અને એવા લોકો જેમને અન્ય બીમારીઓ છે, માત્ર ઘરડા નહીં પણ જેમની સામાજિક-આર્થિક સ્થિતિ બરાબર છે, એવા લોકો પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે દેશની નીતિ આ બધા સવાલો પર વિચાર કરી રહી છે.

WHOનો પણ આ જ ફોર્મ્યુલા છે

આખી દુનિયાને કોરોના વેક્સીન સૌથી પહેલા જોઈએ છે. ગ્લોબલ લેવલ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તેના માટેની વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. WHOના રિજનલ ડિરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલસિંહ મુજબ, એકવાર કોરોના સામે લડવાની વેક્સીન બની જાય તો બધાને તે મળવી જોઈએ. તેમણે કહ્યું કે, WHO એ માનીને ચાલી રહ્યું છે કે વેક્સીનની શરુઆતનો ડોઝ તમામ દેશોમાં મોકલવામાં આવશે કે જેથી હેલ્થ વર્કર્સને ઈમ્યુનાઈઝ કરી શકાય. તેમણે જણાવ્યું કે વેક્સીન જલદી અને બરાબર રીતે સૌને મળશે, તેના માટે WHOએ એક્સેસ ટુ કોવિડ-19 ટૂલ (ACT) એક્સીલરેટર લોન્ચ કર્યું છે.

વડાપ્રધાન પોતે રાખી રહ્યા છે નજર

જોકે, ડૉ સિંહે એ પણ કહ્યું કે આવું કોઈ લિસ્ટ અપ્રૂવ નથી થયું કે વેક્સીન પહેલા કોને મળશે, પરંતુ આ લિસ્ટમાં બીજા નંબરે વધારે રિસ્કવાળા લોકો હશે. આ પછી વેક્સીન કોને અપાશે તે, દેશની વસ્તી પર ગંભીર અસરને ધ્યાનમાં રાખીને આપી શકાય છે. ભારતમાં કોરોના ટાસ્ક ફોર્સના ચીફ ડૉ. વીકે પોલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દેશમાં કોરોના વેક્સીન ડેવલપમેન્ટમાં રસ દાખવી રહ્યા છે.

ICMR DGએ જણાવ્યું ડિલિલરી મુખ્ય મુદ્દો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે વેક્સીનની ડિલિવરીના ચાર મહત્વના તબક્કા બનાવ્યા છે. તે પ્રમાણે પહેલું પ્રાથમિકતા અને નિષ્પક્ષ વિતરણ, બીજુ વેક્સીન રોલ-આઉટના લોજિસ્ટિક્સ, ત્રીજુ સ્ટોકફાઈલિંગ અને ચોથું હેલ્થકેર વર્કર્સની ટ્રેનિંગ. તેમણે કહ્યું કે ભારત ગ્લોબલ સ્ટેજ પર મહત્વની ભૂમિકા ભજવશે અને જવાબદારી સાથે પોતાનું કામ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો