એપશહેર

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં 2 લાખથી વધારેના જીવ ગયા, રોજના સરેરાશ 2000 મોત

2nd wave in India: ભારતમાં બીજી લહેર દરમિયાન કોરોનાના કારણે મોટી સંખ્યામાં દર્દીઓએ જીવ ગુમાવ્યા આમ છતાં અમેરિકા અને બ્રાઝિલ આગળ

Reported byAmit Bhattacharya | TNN 11 Jun 2021, 8:07 am

હાઈલાઈટ્સ:

  • ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાહિત થઈ
  • બીજી લહેરમાં ભારતમાં 2 લાખથી વધુના મોત થયા
  • ભારત કરતા બ્રાઝિલ અને અમેરિકા આગળ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat covid 19 deaths in 2nd wave cross two lakh and daily average of over 2000 in india
ભારતમાં કોરોનાની બીજી લહેરમાં 2 લાખથી વધારેના જીવ ગયા, રોજના સરેરાશ 2000 મોત
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે, બીજી લહેર દરમિયાન દર્દીઓ તથા તેમના પરિવારોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવામાં બીજી લહેરમાં દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 2 લાખને પાર થઈ ગઈ છે. 2020માં મહામારીની ભારતમાં શરુઆત થયા પછી દર 5માંથી 3 મૃત્યુ કોરોનાના કારણે થયા છે. જ્યારે બીજી લહેરની શરુઆત પછી એક માર્ચથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના લીધે સરેરાશ 2000 લોકોના જીવ ગયા છે. બીજી લહેરમાં થનારી મોત અત્યાર સુધીમાં દેશમાં થયેલા કોરોના મૃત્યુમાંથી 57% થાય છે. ભારતમાં કોરોનાના લીધે કુલ 3,63,029 દર્દીઓના મોત થઈ ગયા છે.

દુનિયામાં કોરોનાથી સૌથી વધુ મોત બ્રાઝિલમાં

દુનિયાની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મોત બ્રાઝિલમાં થયા છે. બ્રાઝિલમાં પાછલા 102 દિવસ દરમિયાન 2.25 લાખ લોકોના મોત કોરોના વાયરસના લીધે થયા છે, જ્યારે અમેરિકામાં 1 માર્ચથી અત્યાર સુધીમાં 82,738 દર્દીઓના મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંક 6.1 લાખ પર પહોંચી ગયો છે, જે દુનિયામાં સૌથી વધુ છે.

આજથી મોટાભાગના મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલશે, સોમનાથમાં દર્શન માટે પાસ સિસ્ટમ
મૃત્યુઆંકમાં સુધારો થઈ રહ્યો છે

રાહતની વાત એ છે કે ભારતમાં પાછલા 3 અઠવાડિયાથી રોજના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, મૃત્યુઆંક હજુ પણ ચિંતાનું કારણ છે. જૂનના પહેલા અઠવાડિયામાં 16,300 લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંકમાં સુધારો પણ થયો છે, જેમાં મહારાષ્ટ્રમાં 11,583, બિહારમાં 3951 અને ઉત્તરાખંડમાં 779 મોતનો સમાવેશ થાય છે. પાછલા બે દિવસમાં જ 5,873 મોત જોડાયા છે, જેમાંથી 3,951 બિહારના અને બાકી મહારાષ્ટ્રના છે. બિહારમાંથી મળેલા મૃત્યુના નવા આંકડાના લીધે બુધવારે 24 કલાકમાં નોંધાતા મૃત્યુની સંખ્યા 6 હજારને પાર થઈ ગઈ હતી. જોકે, એક્સપર્ટે સાચા આંકડા સામે લાવવા બદલ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આનાથી ચોક્કસ માહિતી મેળવવામાં મદદ મળશે.

11 જૂન જન્મદિવસ રાશિફળ: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ?
બીજી લહેરમાં સૌથી વધારે કેસ ભારતમાં

જો કુલ કેસની વાત કરવામાં આવે તો દેશમાં મહામારી શરુ થયા પછી લગભગ 62% કોરોનાની બીજી લહેર સામે આવી છે. દેશમાં 1 માર્ચ 2021થી અત્યાર સુધીમાં 1.8 કરોડ કેસ સામે આવ્યા છે જ્યારે મહામારી શરુ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 2.9 કરોડ સંક્રમણ સામે આવ્યા છે. જ્યારે 1 માર્ચથી અત્યાર સુધીમાં બ્રાઝિલમાં 65.7 લાખ કેસ અને અમેરિકામાં 48.7 લાખ કેસ સામે આવ્યા છે.

Read Next Story