ભારતે ધીમે-ધીમે કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે પોતાની ક્ષમતાને વધારી દીધી છે અને એક દિવસમાં 4.20 લાખથી વધારે ટેસ્ટિંગ કરવામાં આવ્યા. આ સાથે જ મૃતકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, દેશમાં એક જ દિવસમાં સૌથી વધારે 4.2 લાખથી વધારે લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે, લેબોરેટરીઝની સંખ્યામાં વધારાના કારણે આ શક્ય બની શક્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી લગભગ 1.6 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરાયું છે. કોરોનાના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને હવે 2.35 ટકા થઈ ગયો છે. ભારતમાં જાન્યુઆરીમાં કોરોના સંક્રમિતાના ટેસ્ટિંગ માટે માત્ર 1 લેબોરેટરી હતી, પરંતુ હવે તેની સંખ્યા વધીને 1301 થઈ ગઈ છે. જેમાં પ્રાઈવેટ લેબ્સ પણ શામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, IMCR દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન્સ અને રાજ્યો દ્વારા કરાયેલા ટેસ્ટિંગના પ્રયાસોથી આ મદદ મળી છે.
શુક્રવાર સુધીમાં દેશમાં કોરોના માટે કુલ 1,58,49,068 ટેસ્ટિંગ કરવામાં આવ્યા. મંત્રાલયે કહ્યું કે, ભારતમાં પાછલા એક અઠવાડિયામાં રોજના 3.50 લાખ ટેસ્ટિંગ કરાયા. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલનું ટેસ્ટીંક કરવા સાથે જ ટેસ્ટ પ્રતિ મિલિયન વધીને 11,485 થઈ ગયા છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારોને વધુ પરિક્ષણ સાથે ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની રણનીતિ બનાવી રાખવાની સલાહ આપી હતી. જેનાથી શરૂઆતમાં દૈનિક પોઝિટિવ કેસોની સંખ્યા વધારે થતી ગઈ, પરંતુ અંતમાં તેમાં ઘટાડો આવ્યો. કોરોનાના સેમ્પલના પરીક્ષણમાં વધારાની સાથે જ શનિવારે મૃત્યુદર ઘટીને 2.35 ટકા થઈ ગયો છે અને સાજા થયેલા લોકોનો દર 63.54 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દુનિયાના મુકાબલે ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે, લેબોરેટરીઝની સંખ્યામાં વધારાના કારણે આ શક્ય બની શક્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી લગભગ 1.6 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરાયું છે. કોરોનાના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને હવે 2.35 ટકા થઈ ગયો છે. ભારતમાં જાન્યુઆરીમાં કોરોના સંક્રમિતાના ટેસ્ટિંગ માટે માત્ર 1 લેબોરેટરી હતી, પરંતુ હવે તેની સંખ્યા વધીને 1301 થઈ ગઈ છે. જેમાં પ્રાઈવેટ લેબ્સ પણ શામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, IMCR દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન્સ અને રાજ્યો દ્વારા કરાયેલા ટેસ્ટિંગના પ્રયાસોથી આ મદદ મળી છે.
શુક્રવાર સુધીમાં દેશમાં કોરોના માટે કુલ 1,58,49,068 ટેસ્ટિંગ કરવામાં આવ્યા. મંત્રાલયે કહ્યું કે, ભારતમાં પાછલા એક અઠવાડિયામાં રોજના 3.50 લાખ ટેસ્ટિંગ કરાયા. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલનું ટેસ્ટીંક કરવા સાથે જ ટેસ્ટ પ્રતિ મિલિયન વધીને 11,485 થઈ ગયા છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારોને વધુ પરિક્ષણ સાથે ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની રણનીતિ બનાવી રાખવાની સલાહ આપી હતી. જેનાથી શરૂઆતમાં દૈનિક પોઝિટિવ કેસોની સંખ્યા વધારે થતી ગઈ, પરંતુ અંતમાં તેમાં ઘટાડો આવ્યો. કોરોનાના સેમ્પલના પરીક્ષણમાં વધારાની સાથે જ શનિવારે મૃત્યુદર ઘટીને 2.35 ટકા થઈ ગયો છે અને સાજા થયેલા લોકોનો દર 63.54 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દુનિયાના મુકાબલે ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર છે.