એપશહેર

કોરોનાની આ દેશી વેક્સીનની થર્ડ ફેઝની ટ્રાયલ માટે નથી મળી રહ્યા વોલેન્ટિયર્સ

એઈમ્સમાં કોરોના વાયરસ માટેની દેશમાં બનેલી વેક્સીનની ત્રીજા ફેઝની ટ્રાયલ માટે વોલેન્ટિયર્સ મળી રહ્યા નથી

I am Gujarat 17 Dec 2020, 11:45 pm
નવી દિલ્હીઃ ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સીનના ત્રીજા ફેઝની ટ્રાયલ માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં પૂરતી સંખ્યામાં વોલેન્ટિયર્સ મળી રહ્યા નથી. અધિકારીઓનું કહેવું છે કે લોકો એવું વિચારીને આવી રહ્યા નથી કે વેક્સીન ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થવાની છે તો ટ્રાયલમાં ભાગ લેવાની શું જરૂર છે.
I am Gujarat covaxin3


કોવેક્સિનના અંતિમ સ્ટેજના ટ્રાયલ માટે જે સંસ્થાઓ નક્કી કરવામાં આવી છે તેમાં એઈમ્સ પણ સામેલ છે. ટ્રાયલ માટે સંસ્થાને 1,500 લોકોની જરૂર છે. કોવેક્સિનનું નિર્માણ ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. એઈમ્સના પ્રોફેસર ડોક્ટર સંજય રાયે જણાવ્યું છે કે અમારે 1500થી 2000 લોકો જોઈએ છે પરંતુ હાલમાં ફક્ત 200 લોકો જ આવ્યા છે. લોકો આ પ્રક્રિયામાં તે વિચારીને ભાગ લઈ રહ્યા નથી કે જ્યારે બધાને વેક્સીન મળવાની છે તો ટ્રાયલમાં ભાગ લેવાની શું જરૂર છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે સ્વેચ્છાએ આવનારા લોકોને આની પ્રક્રિયા અંગે કહેવામાં આવે છે ત્યારે તેઓ આમાં ભાગ લેવાની ના પાડી દે છે. ડોક્ટર રાયે જણાવ્યું હતું કે, ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયા અંગે જાણ્યા બાદ લોકો ભાગ લેવાની ના પાડી દે છે અને કહે છે કે જો વેક્સીન બધાને મળવાની જ છે તો પછી તેઓ ટ્રાયલમાં ભાગ કેમ લે.

ડોક્ટર રાયે જણાવ્યું હતું કે જ્યારે પ્રથમ ફેઝની ટ્રાયલ શરૂ થવાની હતી ત્યારે તેમને 4,500 લોકોની અરજી આવી હતી. બીજા સ્ટેજની ટ્રાયલ સમયે પણ હોસ્પિટલને 4,000 જેટલી અરજી મળી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વેક્સીનની ટ્રાયલમાં ભાગ લેવાની જરૂરીયાત અંગે જાગૃતતા ફેલાવવા માટે જાહેરખબર, ઈમેલ અને ફોન કોલની મદદ લેવાની યોજના બનાવી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો