એપશહેર

2021 પણ પૂરું થવા આવે ત્યારે માંડ દેશમાં સામાન્ય લોકોને કોરોનાની રસી મળી શકશે?

કોરોનાની રસી કેટલા સમય માટે તેની સામે રક્ષણ આપી શકે છે તેની ચોક્કસ માહિતી મેળવવામાં હજુય ઘણો સમય લાગશે

Authored byDivya Rajagopal | THE ECONOMIC TIMES 9 Sep 2020, 11:43 am
મુંબઈ: દેશમાં સામાન્ય લોકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ બનતા કદાચ આવતું વર્ષ પણ નીકળી જાય. રસીને વિકસાવવાના કાર્ય સાથે સંકળાયેલા એક્સપર્ટ્સનું માનીએ તો, 2020ના અંતમાં જ તેને માન્યતા મળી જશે, પરંતુ 2021ના અંત ભાગ પહેલા તેને દેશની વિશાળ જનસંખ્યા સુધી મોટા પડકારથી કમ નહીં હોય. દેશના ખૂણે-ખૂણા સુધી રસી પહોંચાડવાનું કામ અને તેની કોરોના સામે રક્ષણ આપી શકવાની મર્યાદિત ક્ષમતા તમામ લોકોને તેનો ડોઝ આપવાની તારીખ પાછી ઠેલી શકે છે. હાલ ભારત બાયોટેક, સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ઝાયડસ કેડિલાએ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરુ કરી છે. જેનું રિઝલ્ટ બે મહિનામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ, અમેરિકા જેવા દેશમાં રસી બનાવવાની પ્રક્રિયા ઓર ઝડપથી ચાલી રહી છે.
I am Gujarat covid vaccine
હાલ ભારતમાં ત્રણ કંપનીઓ વેક્સિન બનાવવાની કામગીરીમાં લાગેલી છે, અને તેનું ત્રીજા સ્ટેજનું પરિક્ષણ ચાલુ છે


રસી વિકસાવવાની પ્રક્રિયામાં મદદ કરી રહેલી નોર્વે સ્થિત એક એનજીઓ કોલશન ઓફ એપિડેમિક પ્રિપેર્ડનેસ એન્ડ ઈનોવેશનના વાઈસ ચેરમેન ગગનદીપ કાંગનું કહેવું છે કે ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ 2020ના અંત સુધીમાં આવે તેવી શક્યતા છે. રસીની ક્ષમતા અંગેની વિગતો મળી જાય પછી કંપનીઓ તેના માસ પ્રોડક્શનની મંજૂરી લેવા પ્રક્રિયા શરુ કરશે. તેમને લાઈસન્સ મળી જાય ત્યારબાદ 2021ના અંત સુધીમાં રસી સામાન્ય લોકોને આપવા તૈયાર કરી શકાશે.

વિશ્વના અન્ય દેશોમાં સરકારો પોતાની જનતા માટે અત્યારથી રસીના ઓર્ડર આપી રહી છે, અને કોને પહેલા ડોઝ અપાશે તેની યાદી બનાવાઈ રહી છે. હેલ્થકેર વર્કર્સ અને જીવનજરુરી ચીજવસ્તુ અને સેવા સાથે સંકળાયેલા લોકોને પહેલા રસી અપાય તેવી શક્યતા છે. બીજી તરફ, કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોનાની રસીની વાયરસ સામે રક્ષણ આપી શકવાની ક્ષમતા મર્યાદિત હશે. જેથી વૃદ્ધો અને કોમોર્બિડિટી ધરાવતા લોકોને રસી તેમના માટે સેફ છે તેવા નક્કર પુરાવા ના મળે ત્યાં સુધી તેનો ડોઝ નહીં આપી શકાય.

કોરોના મટી ગયા બાદ કેટલાક દર્દીના શરીરમાં એન્ટીબોડીની ગેરહાજરી જોવા મળી રહી છે, તો કેટલાકને સાજા થયાના થોડા મહિનામાં ફરી ચેપ લાગ્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તેવામાં વેક્સિન કોરોના સામે કેટલો સમય રક્ષણ આપી શકે છે તેની નક્કર માહિતી મેળવવા માટે તેની ટ્રાયલ 70 હજાર જેટલા લોકો પર બે વર્ષ સુધી કરવામાં આવશે તેમ કોરોનાની વેક્સિન બનાવી રહેલી અમેરિકન ફાર્મા કંપની Pfizerના સીઈઓ એલ્બર્ટ બોર્લાએ જણાવ્યું હતું.

એક્સપર્ટ્સનું એમ પણ માનવું છે કે ભારત જેવા દેશમાં આંતરિયાળ વિસ્તારોમાં રસી પહોંચાડવા માટે કોલ્ડ સ્ટોરેજ અને સપ્લાય ચેનને લગતા પણ મોટા ઈશ્યૂ છે. લોજિસ્ટિક ફર્મ DHL અને કન્સલ્ટિંગ કંપની મેકેન્ઝીના રિપોર્ટ પ્રમાણે આગામી બે વર્ષમાં દુનિયાભરમાં રસી પહોંચાડવા 15 હજાર જેટલી ફ્લાઈટ્સની જરુર પડશે. દક્ષિણ ગોળાર્ધના દેશોમાં યોગ્ય તાપમાન મેઈન્ટેન રાખી આ રસીને પહોંચાડવી ઓર પડકારજનક હશે.
લેખક વિશે
Divya Rajagopal
Divya Rajagopal is an Assistant Editor with The Economic Times newspaper based out of Mumbai, India. She writes on intersection of medical science and business.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો