એપશહેર

પાકિસ્તાન અને ચીન એક મિશન અંતર્ગત ઊભો કરી રહ્યા છે સરહદ વિવાદ: સંરક્ષણ મંત્રી

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના એક કાર્યક્રમમાં સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અને ચીનને લઈને મોટું નિવેદન આપ્યું.

I am Gujarat 12 Oct 2020, 6:14 pm
નવી દિલ્હી: દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એલએસી પર ટેન્શનની વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પછી હવે ચીન પણ સરહદ પર એક મિશન અંતર્ગત વિવાદ ઊભો કરી રહ્યું છે, પરંતુ દેશ આ સંકટનો દ્રઢતાથી સામનો કરી રહ્યો છે. સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરહદ માર્ગ સંગઠન દ્વારા બનાવાયેલા 44 પુલો અને અરુણાચલ પ્રદેશના નેચિકુ ટનલનો વર્ચુઅલ માધ્યમથી શિલાન્યાસ કર્યો.
I am Gujarat Rajnath Singh
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરહદે બનનારા 44 પુલો અને અરુણાચલ પ્રદેશના નેચિકુ ટનલનો વર્ચુઅલ માધ્યમથી શિલાન્યાસ કર્યો.


આ પ્રસંગે તેમણે કહ્યું કે, 'આપણી ઉત્તર અને પૂર્વ સરહદ પર ઊભી કરાયેલી સ્થિતિઓ અંગે તમે પણ સારી રીતે જાણો છો. પહેલા પાકિસ્તાન અને હવે ચીન તરફથી એક મિશન અંતર્ગત સરહદ વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ દેશો સાથે આપણી લગભગ સાત હજાર કિલોમીટરની સરહદ મળે છે, જ્યાં અવાર-નવાર તણાવ ઊભો થતો રહે છે.'

રાજનાથ સિંહે કહ્યું કે, 'સરહદી વિસ્તારોમાં માર્ગો, ખડકો, સુરંગો અને પુલોનું સતત નિર્માણ તમારી પ્રતિબદ્ધતા અને સરકારના અંતરિયાળ વિસ્તારમાં પહોંચવાના પ્રયાસોને દર્શાવે છે. આ રસ્તા સ્ટ્રેટેજિક જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત રાષ્ટ્રના વિકાસમાં બધાની બરાબર ભાગીદારી સુનિશ્ચિત કરે છે.'

કોવિડના કારણે દેશમાં ઘણી સમસ્યાઓ
રાજનાથ સિંહે કહ્યું કે, દેશના દરેક ક્ષેત્રમાં કોવિડ 19ના કારણે ઊભી થયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પછી તે ખેતી હોય કે અર્થવ્યવસ્થા, ઉદ્યોગ હોય કે સુરક્ષા વ્યવસ્થા. બધા તેનાથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આ વિકટ સમયમાં પાકિસ્તાન પછી ચીન દ્વારા સરહદ પર એક મિશન અંતર્ગત વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આપણી ઉત્તર અને પૂર્વ સરહદ પર ઊભી કરાયેલી સ્થિતિઓ અંગે તમે સારી રીતે જાણો છો. પહેલા પાકિસ્તાન અને ચીન દ્વારા જાણે એક મિશન અંતર્ગત સરહદ વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, આ દેશોની સાથે આપણી લગભગ 7 હજાર કિમીની સરહદ મળે છે, જ્યાં અવાર-નવાર ઘર્ષણ ઊભું થતું રહે છે. તેમણે કહ્યું કે, સમસ્યાઓ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ અને દૂરંદેશી નેતૃત્વમાં આ દેશ સંકટનો દ્રઢતાથી સામનો કરવા ઉપરાંત બધા ક્ષેત્રોમાં મોટા અને ઐતિહાસિક પરિવર્તન પણ લાવી રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો