એપશહેર

દિલ્હીમાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા, બાઈક પર આવેલા શખસોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

દિલ્હીના દ્વારકાના મટિયાલા રોડ પર શુક્રવારે રાત્રે અજાણ્યા શખસોએ ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરી દીધી. બાઈક પર આવેલા આ શખસો ભાજપના નેતા પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની હત્યા કરી ફરાર થઈ ગયા. પોલીસે દિલ્હીથી બહાર જતા રસ્તાઓ પર નાકાબંધી કરી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. ભાજપના નેતા પર તેમની ઓફિસમાં જ આ હુમલો કરાયો હતો.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 14 Apr 2023, 10:27 pm
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ગુંડાઓ બેખોફ બની ગયા છે. અવારનવાર ગોળી મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. શુક્રવારની રાત્રે પણ આવો જ એક ચકચારી મામલો બન્યો છે. દિલ્હીના દ્વારકા જિલ્લાના મટિયાલા રોડ પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ભાજપના સ્થાનિક નેતા સુરેન્દ્ર મટિયાલા પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી. તેઓ નજફગઢ જિલ્લા કિસાન મોર્ચાના અધ્યક્ષ હતા અને કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા હતા.
I am Gujarat Delhi BJP leader Surendra Matiyal shot dead
દિલ્હીના દ્વારકા જિલ્લાના મટિયાલા રોડ પર શુક્રવારની રાત્રે ભાજપના નેતા સુરેન્દ્ર મટિયાલાની ગોળી મારી હત્યા કરી દેવાઈ.


ભાજપના નેતાને ગોળી મારવાના મામલે જિલ્લાના ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું કે, ઘટનાસ્થળે તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરેન્દ્ર મટિયાલાને ઘણી ગોળી મારવામાં આવી છે. ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા છે. તેમને એ સમયે ગોળી મારવામાં આવી, જ્યારે તેઓ ઓફિસમાં હતા. હત્યારાઓને શોધવા માટે પોલીસની જુદી-જુદી ટીમ લગાવી દેવાઈ છે.

જાણકારી મુજબ, સુરેન્દ્ર પોતાની ઓફિસમાં પોતાના એક સ્વજન તેમજ ઓફિસ સહાયક સાથે બેસીને ટીવી જોઈ રહ્યા હતા. એ દરમિયાન બે શખસો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને કોઈ કંઈ સમજે તે પહેલા ભાજપના નેતા પર અંધાધૂંધ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. જણાવાયા મુજબ, સુરેન્દ્રને પાંચથી છ ગોળીઓ વાગી હતી. ફાયરિંગ કર્યા બાદ બંને શખસો પગપાળા જ મટિયાલા પોલીસ ચોકી તરફ ભાગી ભાગી ગયા હતા. આશંકા છે કે, તેમનો કોઈ સાથી પહેલેથી જ ઘટનાસ્થળથી થોડે દૂર બાઈક કે અન્ય વાહન પર તેમની રાહ જોઈ રહ્યો હશે અને હત્યાને અંજામ આપ્યા બાદ એ જ વાહનમાં એ લોકો ફરાર થઈ ગયા હશે.

સુરેન્દ્રને ગોળી વાગ્યા બાદ ઘટનાસ્થળે હાજર બંને લોકોએ પોતાની જાતને સંભાળી અને નેતાના પરિવારને જાણ કરી. આ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળી મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા હતા અને સુરેન્દ્રને દ્વારકા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. બીજી તરફ ઘટનાની જાણ થતા ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી દીધી છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો