એપશહેર

દિલ્હીમાં આગ: ફેક્ટરીના માલિક અને મેનેજરની ધરપકડ કરાઈ

વિપુલ પટેલ | I am Gujarat 8 Dec 2019, 7:01 pm

દિલ્હીમાં જે ફેક્ટરીમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની ધરપકડ કરી લેવાઈ

નવી દિલ્હી: દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં લાગેલી આગમાં 43 લોકોના મોતના મામલે ફેક્ટરી માલિક રેહાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. તે સાથે જ ફેક્ટરીના મેનેજર ફુરકાનની પણ ધરપકડ કરી લેવાઈ છે. જાણવા મળ્યા મુજબ, જે ફેક્ટરીમાં આગ લાગી, તે ગેરકાયદેસર ચાલી રહી હતી. રેહાન પર આઈપીસીની કલમ 304 (બિન ઈરાદાપૂર્વક હત્યા) અને 28 (બેદરકારી) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં દોષી સાબિત થનારાને 10 વર્ષની જેલ કે આજીવન કેદ અને દંડની જોગવાઈ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialજૂની દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘરોમાં ફેક્ટરીઓ ચલાવાઈ રહી છે. એટલું જ નહીં, કેટલીક બિલ્ડિંગોની ઊંચાઈ પણ માપદંડ કરતા વધુ છે. ફેક્ટરી ચલાવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટના એનઓસીની જરૂર પડે છે, પરંતુ અહીંની ફેક્ટરીઓએ એવી કોઈ મંજૂરી નથી લીધી. અહીંની ગલીઓ ઘણી સાંકડી છે. કલ્પના કરી શકાય છે કે, સાંકડી ગલીઓમાં બનેલી બિલ્ડિંગોમાં જો ફેક્ટરી ચાલતી હોય અને કોઈ દુર્ઘટના બને તો લોકોને ભાગવાનો રસ્તો પણ ન મળે અને તેમનું મોત નિશ્ચિત છે. ડોક્ટરો મુજબ, આ ઘટનામાં મોટાભાગના લોકોનો મોત શ્વાસ રુંધાવાથી થયા છે.
મૃતકોને 17 લાખની મદદની જાહેરાતઅગ્નિકાંડમાં માર્યા ગયેલા લોકો માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 10-10 લાખ અને ઘાયલો માટે એક લાખના વળતરની જાહેરાત કરી છે. તો, વડાપ્રધાન રાહત કોષમાંથી મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે પણ મૃતકોને 5-5 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ પોતાના રાજ્યના મૃતકો માટે 2-2 લાખની નાણાંકીય મદદની જાહેરાત કરી છે.
ફેક્ટરી માલિક રેહાનની ધરપકડમુખ્યમંત્રીએ આપ્યું કડક સજાનું વચનજણાવાઈ રહ્યું છે કે ,પહેલી નજરમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જણાઈ રહ્યું હતું. ત્યાં પ્લાસ્ટિકની માત્ર વધુ હતી, એટલે આગ ઝડપથી ફેલાતી ગઈ. દિલ્હી સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઘટના માટે જે પણ દોષી હશે તેને કડકમાં કડક સજા આપવામાં આવશે.
7 દિવસની અંદર માંગ્યો રિપોર્ટદિલ્હી સરકારે અનાજ મંડી ક્ષેત્રની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં તપાસના આદેશ આપતા સાત દિવસની અંદર રિપોર્ટ માગ્યો છે. દિલ્હીના રેવન્યુ મંત્રી કૈલાશ ગહલોતએ જિલ્લા મેજિસ્ટ્રેટ (મધ્ય)ને તપાસ કરવાના અને સાત દિવસની અંદર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story