એપશહેર

'એલોપેથી પર ટિપ્પણી' કેસમાં બાબા રામદેવને રાહત નહીં મળે, કોર્ટે કેસ ચલાવશે

દિલ્હી હાઇ કોર્ટનું કહેવુ છે કે, એલોપેથી વિશે ખોટી માહિતી ફેલાવવા માટે બાબા રામદેવ વિરુદ્ધ અરજીને એમ જ ફગાવી ના શકાય, અનેક ડોક્ટર સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી વિચારવા યોગ્ય છે

I am Gujarat 25 Oct 2021, 10:14 pm

હાઈલાઈટ્સ:

  • બાબા રામદેવે કોરોનાની ઘાતક લહેર વચ્ચે એલોપેથી પર વાંધાજનક નિવેદન આપ્યું હતું
  • કોરોનિલ દવાને લઇને બાબા રામદેવે કરેલા કોરોના સારવારના દાવાને પણ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે
  • બાબાના નિવેદન પછી દેશના અનેક ડોક્ટર એસોસિએશને ભેગા થઇને કોર્ટમાં અરજી કરી હતી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 6
નવી દિલ્હીઃ ઘાતક કોરોના મહામારી દરમિયાન એલોપેથી પર વાંધાજનક ટિપ્પણી કરીને ફસાયેલા બાબા રામદેવને કોર્ટ તરફથી હાલ પૂરતી રાહત નહીં મળે. દિલ્હી હાઇ કોર્ટનું કહેવુ છે કે, એલોપેથી વિશે ખોટી માહિતી ફેલાવવા માટે બાબા રામદેવ વિરુદ્ધ અરજીને ફગાવી ના શકાય. અનેક ડોક્ટર સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી વિચારવા યોગ્ય છે અને શરુઆતના તબક્કે જ એને ફગાવી શકાય એમ નથી.
દિલ્હી હાઇ કોર્ટના જસ્ટિસ સી હરિ શંકરની એક બેચે કહ્યું કે, પહેલી નજરે એવુ લાગી રહ્યું છે કે, વર્તમમાન કેસ પર વિચાર કર્યા વગર જ શરુઆતના તબક્કે જ એને બંધ ના કરી શકાય. આ મામલે લાગેલા આરોપ વિશે વિચાર કરવો જોઇએ કે નહીં એ જોવાની જરુર છે.

આ પહેલા દિલ્હી હાઇ કોર્ટે બાબા રામદેવને પોતાની રજૂઆત કરવા માટે નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટ આ કેસમાં હવે 27 ઓક્ટોબરે સુનવણી કરે જેથી બાબાના વકીલ પોતાની રજૂઆત કરી શકે.

બાબા રામદેવે કોરોના મહામારીની ઘાતક લહેર દરમિયાન ગંભીર પરિસ્થિતિઓની વચ્ચે એલોપેથી સારવારને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જે પછી અનેક ડોક્ટર સંગઠનોએ બાબાનો વિરોધ કરતાં હાઇ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે આરોપ લગાવ્યા છે કે, બાબા રામદેવેએ દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ ખોટી રજૂઆત કરી રહ્યા હતા કે એલોપેથી કોરોના સંક્રમિત દર્દીઓના મોતનું કારણ બની રહી છે. તેમણે કથિત રીતે કહ્યું હતું કે એલોપેથિક ડોક્ટર્સ દર્દીઓના મોતનું કારણ બની રહ્યા છે.

આ સંગઠનો તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે, યોગગુરુએ કોરોનિલથી કોરોનાની સારવારનો નિરાધાર દાવો કર્યો. જ્યારે કોરોનિલને માત્ર રોગ પ્રતિકારક શક્તિ વર્ધકનું લાયસન્સ જ મળ્યું હતું.

જોકે આ મામલે થયેલી અરજી પર સુનવણી કરતાં દિલ્હી હાઇ કોર્ટનું કહેવું છે કે, દરેક વ્યક્તિને નફો કમાવવાનો અધિકાર છે. લાભ હકીકતમાં કોઇ આધાર નથી. અરજીકર્તાઓએ બાબા રામદેવના નિવેદનને જાહેર રીતે નુકસાનકારક સાબિત કરવાનું રહેશે.

હાઇ કોર્ટે એલોપેથી વિરુદ્ધ નિવેદન અને પતંજલિની કોરોનિલ કિટના દાવાના સંલગ્ન અરજી પર 3 જૂને બાબા રામદેવને સમન પાઠવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો